જન્માષ્ટ્રમીના પર્વ નિમિત્તે ગોંડલ કોલેજ ચોક પાસે આવેલ સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં નગરપાલિકા સંચાલિત લોકમેળો યોજાશે. અંદાજે ૫ એકરના મેદાનમાં આગામી ૨૪ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી સાત દિવસ મેળો ચાલશે અને અંદાજ મુજબ રોજના ૩૦ હજારથી વધુ લોકો મેળાની મજા માળવા આવશે. ત્યારે મેળાને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સાત દિવસ દરમ્યાન ૨.૫ લાખથી વધુ લોકો લોકમેળાની મજા માળશે તેવો અંદાજ છે. જેમાં વિવિધ રાઇડસ અને સ્ટોલસ ઉભા કરાશે. મેળામાં એક વિશાળ ૪૦X૩૦નો સ્ટેજ પણ તૈયાર થઈ રહ્યો છે. સાત દિવસ દરમ્યાન સ્ટેજ પર ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટ્રમીના દિવસે રાત્રીના ૧૨ વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાશે
૧૫થી પણ વધુ રાઈડસ આવી
ગોંડલમાં લોકમેળામાં ૨ ટોરા ટોરા, ચાર બ્રેક ડાન્સ, ૩ કોલંબસ (નાવડી), ૩ મોટા ઝુલા (ફઝર ફાળકા), સલામ્બો, ડ્રેગન ટ્રેન સહિત નાના બાળકો માટે ૨૫થી વધુ રાઈડસ, જમ્પિંગ, તેમજ અવનવી રાઈડસો મેળામાં આકર્ષણ જમાવશે. સાથે મેળામાં ૧૦૦ થી વધુ ખાણી પીણી, રમકડાં, ઠંડા પીણાં, આઈસ્ક્રીમના સ્ટોલ હશે.
લોકમેળાનું ગ્રાઉન્ડ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે
ગોકુળીયા ગોંડલમાં સાત દિવસ યોજાનાર લોકમેળા દરમ્યાન ૨.૫ લાખથી વધુ લોકો લોકમેળાની મજા માળશે તેવો અંદાજ છે. જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સીસીટીવી કેમેરા, ફાયર સ્ટાફ, એમ્બ્યુલન્સ સહિતની સુરક્ષા વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech