સીમા પર ઘુસણખોરી રોકવા માટે હવે લગાવાશે મધપુડા

  • May 13, 2024 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ કેન્દ્રીય સશક્ર પોલીસ દળોને બંગાળમાં બોર્ડર સિકયુરિટી ફોર્સ (બીએસએફ) ના એકમ દ્રારા શ કરવામાં આવેલી સરહદની વાડ પર મધમાખીઓના પૂડા લગાવવાની પહેલને અપનાવવા નિર્દેશ આપ્યો છે.બીએસએફ યુનિટે સ્થાનિક લોકો માટે રોજગારીની તકો વધારવા અને સુરક્ષાને મજબૂત કરવા તેમની સાથે સુમેળ સ્થાપિત કરવા આ પહેલ કરી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક મધમાખી ઉછેર અને મધ મિશન પર નોર્થ બ્લોકમાં તેમની ઓફિસમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ સૂચનાઓ આપવામાં આવી હતી.

સીએપીએફના એક વરિ અધિકારીએ જણાવ્યું કે બેઠકમાં બંગાળના નાદિયા જિલ્લામાં ભારત–બાંગ્લાદેશ આંતરરાષ્ટ્ર્રીય બોર્ડર પર તૈનાત બીએસએફની ૩૨મી બટાલિયન દ્રારા તૈયાર કરાયેલ અને અમલમાં મુકવામાં આવેલા મોડલની પ્રશંસા કરવામાં આવી હતી અને તમામ સીએપીએફને તેમના વિસ્તારમાં તેને અપનાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું કે સરહદની રક્ષા કરતા અન્ય દળો જેમ કે સશાક્ર સીમા બલ (નેપાળ અને ભૂતાન સરહદ) અને ઈન્ડો–તિબેટિયન બોર્ડર પોલીસ, સીએપીએફ, સીઆરપીએફ અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિકયુરિટી ફોર્સ તેમજ અન્ય દળો જેમ કે આસામ રાઈફલ્સ, નેશનલ સિકયુરિટી ગાર્ડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તેમની જવાબદારીઓના આધારે આ મોડલનો ઉપયોગ કરી શકે છે. બીએસએફના આ મોડલને અપનાવવાનો હેતુ દૂરના સ્થળોએ રોજગારી પેદા કરવાનો છે.
નાદિયામાં બીએસએફ યુનિટે ગયા વર્ષે નવેમ્બરમાં આ પહેલ કરી હતી અને અત્યાર સુધીમાં વાડ પર લગભગ ૨૦૦ મધમાખીઓના પૂડા સ્થાપિત કરી છે. તેમને સ્થાપિત કરવાનો હેતુ પ્રાણીઓ, સોના અને દવાઓની દાણચોરી અને વાડ કાપવાની ઘટનાઓને રોકવાનો પણ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application