તમારા રસોડામાં પ્લાસ્ટિકનું તે નાનું ચોપિંગ બોર્ડ ભલે ઉપયોગી લાગે પરંતુ તે જોખમી પણ હોય શકે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે પ્લાસ્ટિકના ચોપીંગ બોર્ડ જેનો આપણે વારંવાર શાકભાજી અને ફળ કાપવા માટે ઉપયોગ કરીએ છીએ, તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડ સામાન્ય રીતે પોલિઇથિલિન અથવા પોલીપ્રોપીલિન જેવા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. જ્યારે આપણે આ બોર્ડ પર છરી વડે વસ્તુઓ કાપીએ છીએ ત્યારે પ્લાસ્ટિકના નાના ટુકડાઓ, જેને માઇક્રોપ્લાસ્ટિક્સ કહેવાય છે તે બહાર આવે છે અને ખોરાકમાં ભળી જાય છે.
આપણા સ્વાસ્થ્ય પર માઇક્રોપ્લાસ્ટિક્સની અસર
માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે માઇક્રોપ્લાસ્ટિક્સ પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે. રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે અને કેન્સરનું જોખમ પણ વધારી શકે છે.
પ્લાસ્ટિક ચોપીંગ બોર્ડના જોખમોથી કેવી રીતે બચવું?
લાકડાના અથવા કાચના ચોપિંગ બોર્ડનો ઉપયોગ :
પ્લાસ્ટિકને બદલે લાકડાના અથવા કાચના ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરવો વધુ સારું છે. આ બોર્ડમાંથી માઇક્રોપ્લાસ્ટિક નીકળવાની શક્યતા ઓછી હોય છે અને તે વધુ ટકાઉ પણ હોય છે.
તમારા ચોપિંગ બોર્ડને નિયમિત રૂપે બદલો :
પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડ સમય જતાં બગડે છે અને વધુ માઇક્રોપ્લાસ્ટિક છોડવાનું શરૂ કરે છે. તેથી દર થોડા મહિને તમારા ચોપિંગ બોર્ડને બદલવું મહત્વપૂર્ણ છે.
ચોપિંગ બોર્ડને સાફ રાખો :
તમારા ચોપિંગ બોર્ડને ગરમ પાણી અને સાબુથી ધોવાનું રાખો. વિનેગર અને પાણીના મિશ્રણનો પણ ઉપયોગ કરી શકો છો.
એ યાદ રાખવું જરૂરી છે કે આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છુપાયેલી હોઈ શકે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી થોડી સાવધાની રાખીને આપણે પોતાને અને આપણા પરિવારને સ્વસ્થ રાખી શકીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધીએ લોકસભામાં ભગવાન શંકરનો ફોટો બતાવી કહ્યું કે...
July 01, 2024 02:40 PMજામનગર રેઇડ ઝોનમાં... રણજીતસાગર ડેમમાં નવા નીર....મનપા કમિશનરે આપી માહિતી
July 01, 2024 01:58 PMઅયોધ્યામાં રામલલાને રત્નજડિત ચંદનનું તિલક, પરંતુ પૂજારી આ વ્યવસ્થાથી નારાજ,જાણો શું છે કારણ
July 01, 2024 01:18 PMજામજોધપુરમાં રહેતા હોટલ સંચાલકનો આપઘાત
July 01, 2024 12:45 PMઆશીર્વાદદીપ સોસાયટીમાથી તીનપતીનો જુગાર પાંચ સ્ત્રી-પુરુષો રમતા પકડાયા
July 01, 2024 12:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech