બતડીયા ગામના મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ

  • July 27, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના બતડીયા ગામે રહેતા મનિષાબેન અરશીભાઈ ભાટિયા નામના ૨૭ વર્ષના મહિલા ગત તારીખ ૨૫ મી ના રોજ તેમના ખેતરે કામ કરવા ગયા હતા. ત્યારે અહીં આવેલી ખેત તલાવડીમાં પાણી પીવા કે હાથ ધોવા જતી વખતે અકસ્માતે તેણીનો પગ લપસી જવાથી તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. જેના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પતિ અરશીભાઈ દાનાભાઈ ભાટીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.
**
કેશોદના યુવાને ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા બાલકૃષ્ણભાઈ ઉર્ફે કાનો વાલજીભાઈ મોકરીયા નામના ૩૭ વર્ષના યુવાને ગત મંગળવાર તારીખ ૨૫ મીના રોજ રાત્રિના સમયે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે નરશીભાઈ ગોવાભાઈ મોકરીયાએ અહીંની પોલીસને જાણ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application