ઇન્દ્રનીલ સેનગુપ્તા અને બરખા બિસ્ટના 15 વર્ષ લગ્નજૂવનમાં પડી તિરાડ

  • April 27, 2023 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ગ્લેમર જગતનું વધુ એક કપલ દોઢ દાયકા બાદ છૂટું પડી રહ્યું છે
  • બરખા બિસ્ટે આખરે નીલ સાથેના સંબંધોનું કડવું સત્ય કર્યું જાહેર


ગ્લેમર જગતમાં સંબંધો બનતે બિગડતે રિશ્તે જેવા હોય છે. અહીં અફેર, લિવ ઇન અને લગ્ન તેમજ છૂટાછેડા નવાઇની વાત નથી. છાસવારે તેના ન્યૂઝ આવતા હોય છે. હવે આ દુનિયાનું વધુ એક કપલ 15 વર્ષના દામ્પત્યજીવન બાદ છૂટા પડી રહ્યું છે. તે પણ પતિના લગ્નેત્તર સંબંઘોને કારણે.


બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ ઈન્દ્રનીલ સેનગુપ્તા અને ટીવી એક્ટ્રેસ બરખા બિષ્ટની ગણતરી સુધી સૌથી સફળ લગ્નોમાં થતી હતી. પરંતુ છેલ્લા 2 વર્ષથી ટીવીના આ લોકપ્રિય કપલ વચ્ચે કશું બરાબર ચાલી રહ્યું ન હતું. હવે બે વર્ષ પછી અભિનેત્રી બરખા બિષ્ટે ઈન્દ્રનીલ સેનગુપ્તા સાથેના સંબંધોમાં આવેલા તિરાડ પર પોતાનું મૌન તોડ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું કે તે અને ઈન્દ્રનીલ ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.


અગાઉ ઈન્દ્રનીલ સેનગુપ્તાએ તેની પત્ની સાથેના અણબનાવના અહેવાલોને માત્ર અફવા ગણાવીને ફગાવી દીધા હતા. બરખા બિષ્ટે તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પહેલીવાર ઈન્દ્રનીલ સાથેના છૂટાછેડા વિશે વાત કરી છે. 2021 થી દંપતીના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી, પરંતુ અભિનેત્રીએ ક્યારેય તેના વિશે વાત કરી ન હતી.


 અભિનેત્રીએ હજુ સુધી તેના છૂટાછેડા પાછળનું કારણ જાહેર કર્યું નથી. પરંતુ 2021માં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્દ્રનીલ સેનગુપ્તાને એક બંગાળી અભિનેત્રી સાથે લગ્નેત્તર સંબંધો છે. જેના કારણે તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. આ કપલ છેલ્લા 2 વર્ષમાં એકવાર પણ સાથે જોવા મળ્યું નથી.

હવે અભિનેત્રી બરખા બિષ્ટે તેમના સંબંધોનું કડવું સત્ય જાહેર કર્યું છે. એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રી કહ્યું.....

 હા, અમે ટૂંક સમયમાં છૂટાછેડા લેવા જઈ રહ્યા છીએ. આ મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય છે. હું OTT પર સારું કામ કરી રહી છું. તેમ છતાં હું હંમેશા ટીવી અને ફિલ્મોમાં સારા પ્રોજેક્ટ માટે તૈયાર છું.
 
 આ દિવસોમાં તે પોતાની દીકરી મીરાને એકલી જ ઉછેરી રહી છે. તેની પુત્રી સાથે જીવનમાં આગળ વધવા વિશે વાત કરતાં અભિનેત્રી કહે છે, હું હવે સિંગલ મધર છું અને મીરા મારી પ્રથમ પ્રાથમિકતા છે.



ઈન્દ્રનીલ સેનગુપ્તા બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે . ટીવી સીરિયલ્સની સાથે આ એક્ટર ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. ઈન્દ્રનીલ અને બરખા સીરિયલ 'પ્યાર કે દો નામ... એક રાધા એક શ્યામ'ના સેટ પર મળ્યા હતા. આ સિરિયલમાં સાથે કામ કરતી વખતે જ બંને પ્રેમમાં પડ્યા હતા. થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ આ કપલે 2008માં લગ્ન કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application