સાયબર ક્રાઇમ કરનારા ઠગો માટે હવે સંપૂર્ણપણે બંધ થઇ જશે બેન્કિંગ સેવાઆ

  • July 22, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાયબર ક્રાઈમ અને છેતરપિંડી સાથે સંકળાયેલા લોકો દેશમાં ક્યાંય પણ નાણાકીય અને બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. કેન્દ્ર સરકાર આ માટે કેન્દ્રીય લીસ્ટ તૈયાર કરી રહી છે. જેમાં આવા છેતરપિંડી કરનારાઓની બ્લેક લિસ્ટ હશે અને તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. નાણા મંત્રાલય અને ગૃહ મંત્રાલય બંને આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં આ સિસ્ટમ લાગુ કરી શકે છે.

આ મામલા સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આ રજિસ્ટ્રી દ્વારા આવા બેંક ખાતાઓ અને નાણાકીય છેતરપિંડીમાં સંડોવાયેલા લોકોને ટ્રેસ કરવાનું શક્ય બનશે. આ અંગે નાણા અને ગૃહ મંત્રાલય વચ્ચે બેઠક યોજાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.
હાલમાં જો કોઈ વ્યક્તિ લોકો સાથે છેતરપિંડી કરે છે અને એક બેંક ખાતામાં યુપીઆઈ દ્વારા પૈસા મેળવે છે. તો તેના માટે આ પૈસા બીજી બેંકમાં ટ્રાન્સફર કરવાનું સરળ છે. નાણાકીય સંસ્થાઓ પાસે કોઈ કેન્દ્રિય ડેટા ઉપલબ્ધ ન હોવાથી, છેતરપિંડી કરનારાઓ દ્વારા આવા નાણાં ટ્રાન્સફર મોટા પાયે થાય છે. જો કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા તેમની ઓળખ કરે અને પગલાં લે તો પણ આ ગુનેગારો અન્ય બેંકો અથવા નાણાકીય સંસ્થાઓમાં જતા રહે છે. આ વલણને રોકવા માટે સરકાર નવી પહેલ કરી રહી

છેતરપિંડી કરનારાઓને ઓળખવાનું સરળ બનશે
નવી સિસ્ટમમાં જો કોઈ છેતરપિંડી કરનાર એક બેંકમાંથી બીજી બેંકમાં નાણાં ટ્રાન્સફર કરે છે તો બેંકો માટે આ ટ્રાન્ઝેક્શન અને તે વ્યક્તિની ઓળખ કરવામાં સરળતા રહેશે. આ છેતરપિંડી કરનારને પહેલેથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. તેથી આ ટ્રાન્સફર તરત જ બંધ કરવામાં આવશે. ઉપરાંત છેતરપિંડી કરનારને ભવિષ્યમાં દેશમાં ક્યાંય પણ બેંકિંગ અને નાણાકીય સેવાઓનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

આ કેન્દ્રીય રજિસ્ટ્રીમાં તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ ગૃહ મંત્રાલય અને નાણાકીય સંસ્થાઓ સાથે ડેટા શેર કરશે. ગૃહ મંત્રાલય સાયબર ગુનાઓ સાથે કામ કરે છે. તેનું ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (ઈં4ઈ)  બહુવિધ એજન્સીઓ વચ્ચે સંકલન કરે છે અને રોજબરોજ સાયબર ફરિયાદો પર નજર રાખે છે. સરકાર આ બજેટમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે ફાળવણી વધારી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સાયબર સુરક્ષાના મહત્વને લઈને ગંભીર છે. આ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની ઝુંબેશ ચાલી રહી છે.

આ કામગીરીથી શું ફાયદો થશે?
સાયબર ગુનેગાર અથવા છેતરપિંડી કરનારનું નામ, પાન અને આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અને અન્ય વિગતો રજિસ્ટ્રીમાં નોંધવામાં આવશે.
સંબંધિત ખાતા સાથે સંકળાયેલા આધાર નંબર અને પાન કાર્ડ (જેમાં છેતરપિંડીની રકમ મળી કે મોકલવામાં આવી હતી) પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જેનાથી બીજું ખાતું ખોલવાની મંજૂરી મળશે નહીં સાયબર ક્રાઇમના કિસ્સામાં સંબંધિત છેતરપિંડી કરનાર સામે ઝડપથી કાર્યવાહી શરૂ કરી શકાય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application