શિરડી સાઈબાબાના મંદિરમાં ભેગા થયેલા 4 કરોડના સિક્કાને બેન્કે લેવાની ના પાડી દીધી, જાણો શું છે કારણ?

  • April 21, 2023 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રના સૌથી અમીર શિરડીના સાંઈ બાબા મંદિર ટ્ર્સ્ટ હવે ભક્તો દ્વારા દાનમાં અપાતા સિક્કાથી પરેશાન છે. હાલ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે, હવે બેન્કોએ આ સિક્કા લેવાની ના પાડી દીધી છે. કારણ કે આટલા સિક્કા રાખવા માટે તેમની બેન્કમાં જગ્યા નથી. શિરડી મંદિર પાસે સાડા ત્રણ કરોડથી ચાર કરોડ રૂપિયાના સિક્કા છે. જેને લેવા માટે બેન્ક આનાકાની કરી રહી છે. તો વળી મંદિર ન્યાસની નજીક તેને રાખવા માટે જગ્યા ઓછી પડી રહી છે.


હાલ શિરડી મંદિર, શહેરની તેર રાષ્ટ્રીયકૃત બેન્કમાં પૈસા જમા કરાવે છે. મંદિરના કાર્યકારી સીઈઓ જાધવના જણાવ્યા મુજબ મંદિરમાં આવતા ભક્તો પોતાની શ્રદ્ધાના હિસાબે સાંઈ બાબાને ચડાવો ચઢાવે છે. જેનું અઠવાડીયામાં બે વાર કાઉન્ટીંગ થાય છે.



આ ચડાવામાં મોટી સંખ્યામાં સિક્કા ચડાવે છે. જે હવે શિરડી મંદિર અને બેન્ક માટે મુસીબતનું કારણ બની ગયું છે. હાલમાં બેન્કમાં 11 કરોડ રૂપિયાના સિક્કા જમા છે, પણ હવે સિક્કા જમા કરવા માટે બેન્કે હાથ ઊંચા કરી દીધા છે. જે બિલ્ડીંગમાં આ બેન્ક છે, ત્યાંના અન્ય વેપારીઓ ડરેલા છે. તેમને લાગે છે કે, સિક્કાના વજનથી બિલ્ડીંગનો ભાગ પડી ન જાય.


શિરડી મંદિર ટ્રસ્ટના કહેવા મુજબ બેન્ક તરફથી જવાબ આપવામાં આવી રહ્યો છે કે, ગ્રાહકો આ સિક્કા લેવા માટે આનાકાની કરે છે. ત્યારે આ સિક્કાને રાખીને બેન્કમાં જગ્યા ઓછી પડે છે. તો વળી મંદિર ટ્રસ્ટ હાલ સમસ્યાના નિવારણ માટે શહેરમાં આવેલી અન્ય બેન્કમાં ખાતા ખોલવાની તૈયારી કરી રહ્યું છે. જેથી આ પૈસાને બેન્કમાં રાખી શકાય. મંદિર ટ્રસ્ટે આરબીઆઈને પણ ભલામણ કરી છે કે, તે આ સિક્કા માટે કોઈ રસ્તો કાઢે. એવું પણ કહેવાય છે કે, ઓનલાઈન પેમેન્ટથી મંદિર ટ્રસ્ટને થોડી રાહત થઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application