બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. ત્યારે એર ઈન્ડિયાએ બાંગ્લાદેશની હાલની સ્થિતિ જોઈને ઢાકા જતી તેની ફ્લાઈટ રદ કરી દીધાના સમાચાર સામે આવ્યા છે.
વિગતવાર વાત કરીએ તો એર ઈન્ડિયાએ બાંગ્લાદેશમાં સતત બનેલી સ્થિતિને જોતા ઢાકા જતી તેની ફ્લાઈટ રદ કરી દીધી છે. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં ઉભરી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ઢાકા અને ત્યાંથી અમારી ફ્લાઈટ્સનું નિર્ધારિત સંચાલન તાત્કાલિક અસરથી રદ કર્યું છે.
સેનાએ ત્યાં વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. આ પહેલા સોમવારે હજારો વિરોધીઓ રાજધાની ઢાકામાં શેખ હસીનાના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા અને લૂંટફાટ અને તોડફોડ કરી હતી. તેમના પિતા મુજીબુર રહેમાનની પ્રતિમાને હથોડીથી તોડી નાખવામાં આવી હતી. એટલું જ નહીં પાર્ટી કાર્યાલયોને આગ ચાંપી દેવામાં આવી હતી.
સંપર્ક કરવા આ નંબર કર્યા જાહેર
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને અમારા મુસાફરોને ઢાકા અને ત્યાંથી કન્ફર્મ બુકિંગમાં મદદ કરી રહ્યા છીએ, જેમાં રિશેડ્યુલિંગ અને કેન્સલેશન ચાર્જિસ પર એક વખતની માફીનો સમાવેશ થાય છે. વધુ માહિતી માટે 24/7 સંપર્ક કેન્દ્રને 011-69329333 / 011-69329999 પર કૉલ કરવા જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech