ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બલુચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરવામાં આવી છે. આ જાહેરાત બલૂચ લેખક મીર યાર બલોચે કરી છે અને તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ કરીને બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી છે.
મીર યાર બલોચે સ્વતંત્રતાની ઘોષણા કરતી વખતે સંયુક્ત રાષ્ટ્રને તેનું શાંતિ મિશન મોકલવાની માગ કરી છે. આ સાથે તેમણે ભારત પાસેથી દિલ્હીમાં બલુચિસ્તાન માટે દૂતાવાસની પણ માગણી કરી છે.
મીર યાર બલોચે એક્સ પર પોસ્ટ કરી કે આતંકવાદી પાકિસ્તાનનું પતન નજીક હોવાથી ટૂંક સમયમાં સંભવિત ઘોષણા અપેક્ષિત છે. અમે અમારી સ્વતંત્રતાનો દાવો કર્યો છે અને અમે ભારતને દિલ્હીમાં બલુચિસ્તાનના સત્તાવાર કાર્યાલય અને દૂતાવાસને મંજૂરી આપવા વિનંતી કરીએ છીએ.
મીર યાર બલોચે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને બલુચિસ્તાનના લોકશાહી પ્રજાસત્તાકની સ્વતંત્રતાને માન્યતા આપવા અને માન્યતા માટે સમર્થન આપવા માટે યુએનના તમામ સભ્યોની બેઠક બોલાવવા વિનંતી કરી છે. તેમણે એવી પણ માંગ કરી હતી કે ચલણ અને પાસપોર્ટ છાપવા માટે અબજો ડોલર આપવા જોઈએ.
મીર યાર બલોચે આગળ લખ્યું છે કે અમે સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરીએ છીએ કે તેઓ બલુચિસ્તાનમાં પોતાનું શાંતિ મિશન મોકલે અને પાકિસ્તાની કબજા હેઠળની સેનાને બલુચિસ્તાનના વિસ્તારો, હવાઈ ક્ષેત્ર અને સમુદ્ર ખાલી કરવા અને બલુચિસ્તાનમાં તમામ શસ્ત્રો અને સંપત્તિ છોડી દેવા કહે.
તેમણે કહ્યું કે સેના, ફ્રન્ટિયર કોર્પ્સ, પોલીસ, મિલિટરી ઇન્ટેલિજન્સ, આઈએસઆઈ અને નાગરિક વહીવટમાં રહેલા તમામ બિન-બલોચ કર્મચારીઓએ તાત્કાલિક બલુચિસ્તાન છોડી દેવું જોઈએ. બલુચિસ્તાનનું નિયંત્રણ ટૂંક સમયમાં સ્વતંત્ર બલુચિસ્તાન રાજ્યની નવી સરકારને સોંપવામાં આવશે અને ટૂંક સમયમાં એક સંક્રમણકારી વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે.
બલુચિસ્તાનની સ્વતંત્રતાની માગ એવા સમયે આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાને ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech