હરિયાણામાં ભાજપે છેતરપિંડી કરીને જીત મેળવી: ઉદિત રાજ

  • October 11, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જીત-હારના મુદ્દા પર ચચર્િ ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસની હાર બાદ હવે પાર્ટીના નેતાઓ ઈવીએમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઉદિત રાજે ગઈકાલે ઇવીએમ પર સવાલો કયર્િ હતા.
કોંગ્રેસ નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું મને ઇવીએમ બેટરીવાળો મોબાઈલ જોઈએ છે જે આખો દિવસ કામ કરી શકે અને બે દિવસ પછી પણ 99 ટકા બેટરી હોય. કિંમત વિશે ચિંતા ન કરશો. માહિતી આપ્નાર વ્યક્તિને કમિશન આપવામાં આવશે.
આ પહેલા ઉદિત રાજે બુધવારે બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા તમામ કામોને નષ્ટ કરવા તત્પર છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. મતમાં 10 ટકાનો વધારો થયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને લગભગ સરખા મત મળ્યા છે.
કોંગ્રેસ પ્રવક્તાએ એવો પણ આરોપ લગાવ્યો કે હરિયાણામાં ભાજપે છેતરપિંડી કરીને જીત મેળવી છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી છે. જેના કારણે વોટ ટકાવારીમાં વધારો થયો છે. પરંતુ તે દુભર્ગ્યિપૂર્ણ છે કે જે રીતે ’ઇન્ડિયા’ બ્લોકના કેટલાક દળના લોકો વાત કરી રહ્યા છે તે જોઈને લાગે છે કે તે પીએમ મોદી દ્વારા માનસિક દબાણ બનાવવામાં આવી રહ્યું છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. રાજ્યમાં ભાજપે કુલ 48 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી છે. ઈન્ડિયન નેશનલ લોકદળે 2 સીટો જીતી છે. જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્યો પણ જીત્યા છે. ચૂંટણી જીતેલા તમામ અપક્ષ ધારાસભ્યોએ ભાજપ્ને સમર્થન આપ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application