આતિશીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જ્યારે આતિશી ચાર્જ લેવા પોહચ્યા તો તેની બાજુમાં એક ખાલી ખુરશી પણ જોવા મળી, આ ખુરશી વિશે જણાવતા આતિશીએ કહ્યું કે આ ખુરશી કેજરીવાલના પરત ફર્યા સુધી આ રૂમમાં જ રહેશે અને આ ખુરશી કેજરીવાલની રાહ જોશે.
ભારતીય જનતા પાર્ટીએ આતિશીના નિર્ણયને દ્વેષપૂર્ણ ગણાવ્યો હતો. આતિશી પર નિશાન સાધતા દિલ્હી બીજેપી જીલ્લા અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, તેમના પગલાથી આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી પદની ગરિમા તેમજ દિલ્હીની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ એક આદર્શ પાલન નથી તે સાદી ભાષામાં સાયકોફેન્સી છે. અરવિંદ કેજરીવાલે જવાબ આપવો જોઈએ કે શું તેઓ આવા રિમોટ કંટ્રોલથી દિલ્હી સરકાર ચલાવશે?
ચાર્જ સંભાળતાની સાથે જ આતિશીએ કહ્યું, આજે મારા મનમાં ભરતનું દર્દ છે. ભાજપે અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જ્યાં સુધી દિલ્હીના લોકો તેમની ઈમાનદારી સાબિત નહીં કરે ત્યાં સુધી તેઓ ખુરશી પર બેસીને રાજીનામું નહીં આપે. દિલ્હીની જનતા ફરી એકવાર અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવશે.
દૂષિત ઈરાદાથી કેજરીવાલની ધરપકડ
ખુરશી સંભાળ્યા બાદ આતિશીએ કહ્યું હતું કે, 'કેજરીવાલને 6 મહિના જેલમાં રાખવામાં આવ્યા હતા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આ ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી તરીકે ચૂંટશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની આ ખુરશી અહીં જ રહેશે.
કેજરીવાલે 17 સપ્ટેમ્બરે આપ્યું હતું રાજીનામું
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલના રાજીનામા પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળે તેમના સ્થાને આતિશીને દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા. કેજરીવાલે પોતાનું રાજીનામું દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને સોંપ્યું હતું. આ સાથે આતિશીએ એલજીને એક પત્ર પણ સુપરત કર્યો હતો જેમાં નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રાજીનામું અને પત્ર લેફ્ટનન્ટ ગવર્નરે રાષ્ટ્રપતિને મોકલ્યો હતો.
અરવિંદ કેજરીવાલ ફરીથી બનશે સીએમ: આતિશી
તેના નામની જાહેરાત થયા પછી આતિશીએ કહ્યું હતું કે તે આગામી ચૂંટણી સુધી જ મુખ્યમંત્રી રહેશે અને જ્યારે ફરીથી AAP સરકાર બનશે ત્યારે કેજરીવાલ મુખ્યમંત્રી બનશે. આતિશીએ એમ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણી સુધી મારી પાસે માત્ર બે જ નોકરી છે. પહેલું, 'દિલ્હીની જનતાને બીજેપીના ષડયંત્રથી બચાવવા'. બીજું- 'કેજરીવાલને ફરીથી સીએમ બનાવાવા.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMધારીના આશ્રમમાં માથાભારે શખ્સોનો આતંક, સાધુ સંતોને ધમકાવ્યા
September 28, 2024 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech