કઝાકિસ્તાનના અક્તાઉમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે કઝાક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, પ્લેનમાં 67 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર હતા. વિમાન અઝરબૈજાનથી રશિયાના ગ્રોઝની જઈ રહ્યું હતું. એજન્સીઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટનો રૂટ બદલવામાં આવ્યો હતો. પ્લેન ક્રેશ થયું તે પહેલા તેણે એરપોર્ટના અનેક ચક્કર લગાવ્યા હતા અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી. આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં 42 લોકોના મોત થયા છે.
ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી
Azerbaijan Airlines flight crashes in Aktau, Kazakhstan following emergency landing request. pic.twitter.com/ziFcQkLYQC
— Global Statistics (@Globalstats11) December 25, 2024
પ્લેન ક્રેશની જાણ થતાં જ ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિમાનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ વિમાન અઝરબૈજાન એરલાઈન્સ દ્વારા સંચાલિત હતું. તે રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું. પરંતુ, ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેનો રૂટ બદલવામાં આવ્યો હતો.
પક્ષીઓના ટોળા સાથે પ્લેન અથડાયાનો દાવો
કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયનું કહેવું છે કે, તેઓ આ અકસ્માતની વિશેષ તપાસ કરશે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના પક્ષીઓના ટોળા સાથે અથડાવાને કારણે થઈ છે, કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ 52 બચાવ ટીમ અને 11 બચાવ ઉપકરણોને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે.
ક્રેશ થયેલા પ્લેન એમ્બ્રેર 190 વિશે જાણો
એમ્બ્રેર 190 એ બે જેટ એન્જિન ધરાવતું વિમાન છે. તેનો ઉપયોગ પ્રાદેશિક હવાઈ જોડાણ માટે થાય છે. આ નેરો બોડી એરક્રાફ્ટ 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કોમર્શિયલ ફ્લાઈટ્સ આવતા વર્ષે એટલે કે 2005માં શરૂ થઈ હતી. અલગ-અલગ બેઠક વ્યવસ્થા અનુસાર, તેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 90થી 98 લોકો મુસાફરી કરી શકે છે. એમ્બ્રેર 190 જેટ બે ટર્બોફન એન્જિનથી સજ્જ છે, જેના કારણે તે 4000 કિમી જેટલું લાંબુ અંતર કાપી શકે છે.
પ્લેનમાં 105 મુસાફરો અને 5 ક્રૂ હાજર હતા.
કઝાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર, વિમાનમાં 105 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે, રોઇટર્સે આ માહિતીની પુષ્ટિ કરી નથી. દરમિયાન, કઝાકિસ્તાનની ઘણી ન્યૂઝ વેબસાઈટ ફ્લાઈટમાં 72 લોકોની હાજરીનો દાવો કરી રહી છે. કઝાકિસ્તાનની સ્થાનિક ન્યૂઝ વેબસાઈટ Kazinform અનુસાર, અકસ્માતમાં 25 લોકો બચી ગયા, જેમાંથી 22ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અકસ્માત અંગે અઝરબૈજાન એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ અકસ્માત ઉડ્ડયન સુરક્ષા માટે બીજી પડકારજનક ઘટના છે. વધુ માહિતી મળ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. જો કે, આ દરમિયાન, કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. વિમાનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અકસ્માત સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech