નવા નાગના આયુષ્માન મંદિર ખાતે કિશોરીઓ માટે સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ શિબિર યોજાઈ

  • April 25, 2025 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૨૬ કિશોરીઓને HPV રસી વિનામૂલ્યે આપવામાં આવી


જામનગર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર નવા નાગના ખાતે આરોગ્ય વિભાગ અને જામનગર કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા કિશોરીઓ માટે સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સર જાગૃતિ અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુના નાગના અને નવા નાગના ગામની કિશોરીઓ અને તેમના માતા-પિતાને બોલાવવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા JCIRના સહયોગથી ૨૬ કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી એચ.પી.વી. રસી આપવામાં આવી હતી. 

આ શિબિરમાં શાળાએ ન જતી અને કોઈ કારણોસર અભ્યાસ છોડી દીધો હોય તેવી કિશોરીઓને સર્વાઇકલ (ગર્ભાશયના મુખ) કેન્સર જાગૃતિ વિષે વિગતવાર પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગર્ભાશયના મુખનું કેન્સર અને સ્તન કેન્સરએ સ્ત્રીઓમાં થતા સૌથી સામાન્ય કેન્સર છે. સર્વાઇકલ કેન્સરનું સૌથી સામાન્ય કારણ હ્યુમન પેપીલોમાં વાઇરસ (HPV) છે. ૧૦ થી ૨૦ વર્ષની કિશોરીઓને રસી આપ્યા બાદ ગર્ભાશયના મુખનું કેન્સર થવાની શક્યતા ૯૮% ઘટી જાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application