કર્ણાટક હાઈકોર્ટે FIR રદ કરવાની માંગ કરતી અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાની અરજીને ફગાવી દીધી છે. સિંઘાનિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદમાં એવા કોઈ તત્વો નથી કે જેના આધારે એફઆઈઆર નોંધી શકાય. જો કે કોર્ટે સુનાવણી બાદ અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે.
અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાને કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સોમવારે નિકિતા સિંઘાનિયા વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે પ્રતિવાદીઓને નોટિસ જારી કરી વાંધો દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો.
ગયા વર્ષે ડિસેમ્બરમાં આઈટી કર્મચારી અતુલ સુભાષે તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવાર દ્વારા થતી હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે 24 પાનાની સુસાઈડ નોટ અને લાંબા વીડિયોમાં ત્રાસની આખી કહાણી કહી હતી. અતુલના કહેવા પ્રમાણે પત્નીએ છૂટાછેડા માટે 3 કરોડ રૂપિયાની રકમ માંગી હતી.
ખંડપીઠે મૌખિક આદેશ જાહેર કર્યો
જસ્ટિસ એસઆર કૃષ્ણ કુમારની અધ્યક્ષતાવાળી સિંગલ બેન્ચે મૌખિક આદેશ આપ્યો. અરજીમાં નિકિતા સિંઘાનિયાએ FIR રદ કરવાની માંગ કરી હતી. પરંતુ બેંચે કહ્યું કે એફઆઈઆરમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી હેઠળ કેસ નોંધવા માટે બધું જ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech