મારી નાખવાના પ્રયાસ સબબ પાંચ સામે ફરિયાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે ગુજસીટોકના નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા આરોપીઓને નામદાર હાઈકોર્ટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ન પ્રવેશ કરવાની શરત સાથે જામીન આપ્યા હતા. આ પૈકીના ત્રણ આરોપીઓ જિલ્લામાં પ્રવેશ્યા હોવાથી કલ્યાણપુર પોલીસ મથકના સ્ટાફે ચેક પોસ્ટ પાસે અટકાવતા કારમાં સવાર કુલ પાંચ આરોપીઓએ પોલીસ ઉપર હુમલો કરી, બેરીકેટીંગ તોડીને નુકસાની કરવા સબબની ધોરણસર ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર ચકચારી પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ ભીખાભાઈ ચાવડાએ જાહેર કરેલી વિગત મુજબ ફરિયાદી હરદાસભાઈ ચાવડા તેમજ અન્ય પોલીસ કર્મીઓ ગઈકાલે રવિવારે સાંજે કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર હર્ષદ ચેક પોસ્ટ પાસે તેમની ફરજ પર હતા. ત્યારે તેમને માહિતી મળી હતી કે મીઠાપુર પોલીસ મથકના ગુજસીટોકના ગુનાના આરોપીઓ કે જેઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, તે પૈકીના કેટલાક આરોપીઓ દ્વારકા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન મુક્ત થયા હતા તેઓ કેટલાક દિવસોથી દ્વારકા પંથકમાં રહેતા હતા.
આ પ્રકારના આરોપીઓ સફેદ કલરની એક મોટરકારમાં પોરબંદર હાઈવે રોડ પર જવાની પેરવીમાં હતા તેવી માહિતી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ તથા સ્ટાફે ગઈકાલે રવિવારે સાંજના સમયે આ ચેક પોસ્ટ નજીકથી પસાર થઈ રહેલી જી.જે. 37 જે. 7445 નંબરની સફેદ કલરની એક ક્રેટા મોટરકારને પૂર ઝડપે જતા અટકાવવા હાથ વડે ઇશારો કરીને સૂચના આપી હતી. આ મોટરકારમાં મીઠાપુર ગામના માનસંગભા ધાંધાભા સુમણીયા, ટોબર ગામના રાયદેભા ટપુભા કેર, મેવાસા ગામના મેરૂભા વાલાભા માણેક તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો સહિત કુલ પાંચ શકશો હોવાનું જાહેર થયું છે.
આ કારમાં જઈ રહેલા ચાલકે કાર થોભાવવાના બદલે સૂચના આપનાર પોલીસ કર્મચારી તેમની ફરજનું પાલન કરી રહ્યા હતા તેમ જાણવા છતાં પણ તેના પર કાર ચડાવીને મારી નાખવાના ઇરાદે હુમલો કર્યાનું જાહેર થયું છે. આ બનાવથી પોલીસ કર્મીને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થવા પામી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી પાસે રહેલી બેરીકેટિંગને ટક્કર મારી આ બેરીકેટિંગને નુકસાની કર્યાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે બે અજાણ્યા સહિત તમામ પાંચ શખ્સો સામે ભારતીય ન્યાય સહિતની કલમ 109 (1), 121 (1), 3(5) તથા પબ્લિક પ્રોપર્ટી એન્ડ ડોમેસ્ટિક એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, દ્વારકા સર્કલના ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. કે.બી. રાજવીએ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech