યમન-સીરિયામાં હાલમાં લોકો ભારે બોમ્બમારોનો સામનો કરી રહ્યા છે. અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અહીં લોકો અને કેદીઓ પણ છે જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે યમન ગયા હતા, ત્યારે તેમના પર હુમલો થયો હતો. જો કે હુના ચીફનો આ હુમલામાંથી ચમત્કારિક બચાવ થયો હતો. જો કે અન્ય બે લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. ટેડ્રોસના જણાવ્યા અનુસાર, આ હુમલો તે સમયે થયો જ્યારે તે યમનના સના એરપોર્ટ પર પ્લેનમાં બેસી ગયા હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ચીફ ટેડ્રોસે એક્સ પર પોસ્ટ કર્યું કે અમારી ટીમે યમનમાં આરોગ્ય અને માનવતાવાદી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને કેદીઓને મુક્ત કરવા માટે વાટાઘાટો કરવાનું મિશન પૂર્ણ કર્યું છે. જ્યારે એરપોર્ટ પર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા ત્યારે અમે સનાથી ટેક ઓફ કરવાના હતા. અમારા એરક્રાફ્ટનો એક ક્રૂ મેમ્બર આમાં ઘાયલ થયો હતો. તેમજ એરપોર્ટ પર બે લોકોના મોત થયા છે અને અન્ય ઘણી જગ્યાઓને પણ નુકસાન થયું છે.અમે એરપોર્ટના સમારકામની રાહ જોઈ રહ્યા છીએ જેથી અમે આગળ મુસાફરી કરી શકીએ.
ઇઝરાયેલનો યમન પર બોમ્બમારો
ઇઝરાયેલની વાયુસેના યમનમાં મોટાપાયે બોમ્બમારો કરી રહી છે. ઇઝરાયેલે પશ્ચિમ કાંઠે અને યમનના આંતરિક ભાગોમાં હુથી લશ્કરી લક્ષ્યો પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસએ કહ્યું કે આ હુમલાઓ વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને ચીફ ઓફ જનરલ સ્ટાફની મંજૂરીથી કરવામાં આવ્યા છે.આ હુમલાઓમાં હુતી સૈન્ય માળખાને મુખ્યત્વે નિશાન બનાવવામાં આવ્યું હતું. આમાં સનાનું ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ સામેલ છે, જ્યાંથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ઉડાન ભરી રહ્યા હતા. ઇઝરાયેલની વાયુસેનાએ પશ્ચિમ કાંઠે આવેલા અલ-હુદાયદાહ, સલીફ અને રાસ કનાતિબ બંદરો પર પણ હુમલો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech