ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ ગઈ છે. ઠેર-ઠેર શિવ ભક્તો શિશ ઝૂકાવી શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે. સોમવારથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. ત્યારે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના પવિત્ર સોમવારે કષ્ટભંજનદેવને શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવાયા હતા. અને સિંહાસને હિમાલયનો વિશેષ શણગાર કરાયો હતો. સવારે શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી.
શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. દરરોજ સવારે ૭ થી ૧૦ વાગ્યે આયોજન કરવામાં આવેલ છે. હરિપ્રકાશ સ્વામીએ હનુમાનજી મંદિર પરિસરમાં સ્થિત નિલકંઠ મહાદેવ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હરિપ્રકાશ સ્વામીએ શિવજીની પૂજા કરીને ભક્તો માટે મંગલ કામના કરી હતી.
શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે-દિવ્ય શણગાર સાથો સાથ કષ્ટભંજન દેવ હનુમાનજીને દાદાને ૨૫૦ કિલો કાજુ કતરી, ઘારી, પેંડા,બરફી,મોહનથાળ,લાડુ વિગેરેનો અન્નકૂટ પણ ધરાવાયો હતો.
નખત્રાણા કચ્છ થી સાળંગપુર બાઈકયાત્રા લઇ ભક્તો સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પહોચ્યા હતા તેમજ દાદાની સાથો સાથ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાત્ર એક જ વાર ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી શરીરમાં 25,000 માઇક્રોપ્લાસ્ટિક કણો પ્રવેશે છે
April 26, 2025 02:39 PMસૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષમાં કુલ ૬૩,૧૯૮ સ્થળેથી ૨૭૧ કરોડની વીજચોરી ઝડપાઇ
April 26, 2025 02:34 PMક્રાઈમ બ્રાન્ચની ૮ કલાકની પૂછપરછમાં તહવ્વુર આપી રહ્યો છે ગોળ ગોળ જવાબ
April 26, 2025 02:33 PMજુનાગઢના ગુજસીટોકના બે આરોપીના ડિફોલ્ટ જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર
April 26, 2025 02:29 PMક્રોકરીના વેપારી સાથે રૂ.૧.૪૪ લાખની છેતરપિંડી
April 26, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech