પોરબંદરમાં ડિઝાસ્ટર શાખા દ્વારા વર્ષાઋતુ સંદર્ભે ૨૪ કલાકનો ક્ધટ્રોલમ શરુ થઇ ગયો છે અને તેમાં ૮૦ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવતા તે કોર્ટનો અનાદર છે તેમ છતાં આવી ફરજ સોંપવામાં આવી છે તેનો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે વિરોધ દર્શાવીને રોષપૂર્ણ રજુઆત કરી છે.
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પોરબંદર જિલ્લાના અધ્યક્ષ લાખાભાઇ ચુંડાવદરા અને મંત્રી વેજાભાઇ કોડીયાતર સહિત શિક્ષકોએ પોરબંદરના જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યુ છે કે મામલતદાર પોરબંદર મારફત વર્ષાઋતુ -૨૦૨૫ કંટ્રોલમ કામગીરીના આદેશ પ્રાથમિક શિક્ષકોને કરવામાં આવેલ છે. પત્ર અન્વયે બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમનની કલમ નં. ૨૭ અન્વયે આવી કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી લઇ શકાય નહીં. તેમ છતાં જો લેવામાં આવે તો અદાલતના અનાદરનો પ્રશ્ર્ન ઉદ્ભવે છે.
આમ છતાં મામલતદાર, પોરબંદર મારફત તા. ૫-૬-૨૦૨૫ થી તા. ૩૧-૮-૨૦૨૫ સુધી વર્ષાઋતુ -૨૦૨૫ કંટ્રોલમ કામગીરીના આદેશો પોરબંદર તાલુકાના શિક્ષકોને કરેલ છે. હાલ શિક્ષકોની ઘટ હોય, શાળા શ થવાની સાથે જ પ્રવેશોત્સવ વગેરે કામગીરી પણ હોય, આવી કામગીરીથી શિક્ષણ પર માઠી અસર પડે છે. તો આ આદેશો રદ કરવા આપને અમારી અપીલ છે. ઉપરોકત પત્ર અન્વયે આવી કામગીરી શિક્ષક પાસેથી ન લેવા આદેશ થયેલ છે. આ છતાં જો લેવામાં આવશે અને ભવિષ્યમાં અદાલતના આદેશના અનાદરનો પ્રશ્ર્ન ઉદભવશે તો તેની જવાબદારી જે તે આદેશ કરનાર અધિકારીની રહેશે.તેવી પણ ચેતવણી આપવામાં આવી છે.
તંત્ર દ્વારા શિક્ષકોને દબાવવાનો પ્રયાસ
પોરબંદરના મામલતદાર દ્વારા મોકલવામાં આવેલા પરિપત્રથી સ્પષ્ટપણે સાબીત થાય છે કે શિક્ષકોને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. શિસ્તભંગના પગલાની પણ ચેતવણી આપવામાં આવી છે. જેમાં નિયમ એવા જાહેર કરવામાં આવ્યા છે કે કંટ્રોલમમાં હાજર થવાના સમય સાથેની સહી હાજરી રજીસ્ટરમાં કરવી અને કંટ્રલમમાં આવતા સંદેશાની નોંધ મેસેજ રજીસ્ટરમાં કરવી અને લાગતા વળગતા સબંધિતને ફોનથી જાણ કરવી. હોટલાઇન ઉપરથી આવતા મેસેજ નોંધવા જરી કાર્યવાહી કરવી તથા માહિતી આપવી અને તે મુજબ અમલ કરવો. કંટ્રોલમ કોઇપણ સંજોગોમાં છોડવો નહીં, અતિ આવશ્યક અણધાર્યા પ્રસંગોએ મામલતદારની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ કંટ્રોલમ છોડવો., બદલી, રજા અથવા અન્ય કારણોસર જે કર્મચારી કંટ્રોલમમાં પોતાની ફરજ પર હાજર રહી શકે તેમ ન હોય તો તેની અવેજી અંગે જર વ્યવસ્થા સંબંધિત કર્મચારીની કચેરીના વડાએ જ કરવાની રહેશે અને વૈકલ્પિક ફરજ સોંપાયેલ કર્મચારીને અત્રેના કંટ્રોલમમાં ફરજ બજાવવા મોકલવાના રહેશે. અને વૈકલ્પિક કરેલ વ્યવસ્થાની જાણ અત્રેની કચેરીને લેખિતમાં અગાઉથી કરવાની રહેશે.
જેની ખાસ નોંધ લેવી. આ કંટ્રોલમમાં ફરજો બજાવવાની બેદરકારી દાખવનાર કર્મચારી સામે જરી શિસ્તભંગના પગલા સબંધિત અધિકારીએ લેવાના રહેશે. કંટ્રોલમના ટેલીફોન, ફેકસનો અંગત ઉપયોગ ન થાય તે અંગેની તકેદારી રાખવા આથી તાકીદ કરવામાં આવે છે. અગત્યના મેસેજ મળ્યેથી ફરજ પરના કર્મચારીએ મામતલદાર પોરબંદર (ગ્રામ્ય) તથા સબંધિતોને અને મામલતદાર ડિઝાસ્ટર તથા જિલ્લા કંટ્રોલમને તુરત જાણ કરવાની રહેશે. તાલુકાકક્ષાના કંટ્રોલમમાં ફરજો બજાવવામાં નિષ્કાળજી દાખવનાર કર્મચારી સામે જરી ‘શિસ્ત અને અપીલ નિયમો ૧૯૭૧’ હેઠળ સબંધિત કચેરીના વડાએ લેવાના રહેશે તેમજ અત્રેથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જેની સર્વેએ નોંધ લેવી. રોજબરોજ દર બે કલાકના વરસાદના આંકડા ટેલીફોનથી નં. ૦૨૮૬-૨૨૨૦૮૦૦માં કલેકટર કચેરી ડીઝાસ્ટર શાખા પોરબંદરને આપવાના રહેશે.
ફરજ સોંપવામાં આવેલ દરેક કર્મચારીએ તેમની ચાલુ ફરજ ઉપરાંત બજાવવાની રહેશે તથા આ હુકમની અમલવારી તા. ૧-૬-૨૦૨૫ થી તા. ૩૧-૮-૨૦૨૫ સુધી કરવાની રહેશે.સંજોગવસાત કોઇ કર્મચારી ફરજના સમય દરમ્યાન હાજર રહી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થા મામલતદાર ડિઝાસ્ટર, મામલતદાર કચેરી, પોરબંદરે કરવાની રહેશે. ઉપરોકત કામગીરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ અતિ અગત્યની હોય. ગંભીરતાથી ફરજ બજાવવા સબંધિત કર્મચારીઓએ નોંધ લેવા જણાવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech