આશા વર્કરનું ડેંગ્યુથી મોત થતાં ધબધબાટી

  • September 23, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારીનું ડેંગ્યુથી મોત થયા અંગે આજે સોમવારે સવારે ખુલતી કચેરીએ ૨૫૦થી વધુ આશા વર્કરોએ સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવી ઉગ્ર સુત્રોચ્ચાર કરી ધબધબાટી બોલાવી હતી.
આશાવર્કરોએ રજુઆત દરમિયાન એવો કથિત આક્ષેપ કર્યેા હતો કે કોઠારીયા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા આશા વર્કર નયનાબેન મોલિયા (ઉ.વ.૩૨)ની તબિયત નાદુરસ્ત હતી તેથી તેમણે અવારનવાર કેન્દ્રના મેડિકલ ઓફિસર પાસે રજા માંગી હતી તેમ છતાં તેમને રજા નહીં આપીને મિટિંગમાં બેસવા માટે ફરજ પાડી હતી. દરમિયાન મિટિંગ પૂર્ણ કરી ઘરે ગયા પછી તબિયત વધુ લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડા હતા અને ત્યાં આગળ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મ્યુનિ.અધિકારીઓને ફકત પોતાની પોલ ન ખુલે તેની જ ચિંતા હોવાનો ટોણો મારી મૃતક આશાવર્કરને ન્યાય મળે તેવી માંગ કરી હતી.
દરમિયાન આ અંગે ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આશા વર્કરો દ્રારા કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે, મૃતક આશા વર્કર બહેનનું મૃત્યુ તા.૧૯ના થયું છે, યારે તેમને મિટિંગમાં તા.૧૨મીએ બોલાવ્યા હતા. તદઉપરાંત બીમાર હોવા છતાં કામ કરવા ફરજ પાડી હોવાની વાત પણ સાવ ખોટી છે તેમ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application