સ્કેન કરવાથી મળશે પ્રાથમિક માહિતી : આઇપીએસ રાઘવ જૈન દ્વારા શરુ કરાઈ કામગીરી : દરિયાઈ સુરક્ષા થશે વધુ મજબૂત
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા બંદર ખાતે આઇપીએસ રાઘવ જૈન દ્વારા ઓપરેશન ટિક અંતર્ગત જેનું પૂરું નામ ટ્રેસિંગ એન્ડ આઇડેન્ટિફિકેશન વાયા કોડીંગ કી એવું થાય છે. આ ઓપરેશન અંતર્ગત સલાયાની ૬૦૧ જેવી બોટોમાં ઓફ્લાઇન કયુઆર કોડના સ્ટીકર લગાડવામાં આવ્યા, આ સ્ટીકર સ્કેન કરવાથી બોટની પ્રાથમિક માહિતી જેવી કે માલિકી,રજીસ્ટ્રેશન બોટની બીજી વિગતો વગેરે તુરંત મલી શકશે.
જેથી દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ચેકીંગમાં ખૂબ સરળતા રહેશે. તેમજ બિનવારસુ બોટો કે સંદિગ્ધ બોટોને તુરંત ઓળખી શકાશે અને કોઈ ગેરરીતિ કે અન્ય ગેરકાયદેસર પ્રવુતિઓ થતાં અટકી જસે.દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવાના હેતુ સર આં કામગીરી કરવામાં આવી રહી છે.
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લગભગ ૬૪૦૦ જેટલી બોટમાં આં કયુઆરકોડ લગાડવામાં આવશે. જે માહિતી રાઘવ જૈનએ આપી હતી.આં કયુઆર કોડમાં હાલ પ્રાથમિક વિગતો એડ કરવામાં આવી છે. જે બાદ સમયાંતરે તેને અપડેટ કરવામાં આવશે. જેમાં આં બોટ ક્યા બંદરે થી અને ક્યારે નીકળી હતી ? તેમાં કેટલા ફિશરમેન સવાર હતા?તેમના કોલના નંબર અને બીજી તમામ માહિતીને ધીમે ધીમે અપડેટ કરવામાં આવશે.
આ કયુઆર કોડ લગાડવા માટે સલાયા બંદર મુકામે ફિશરમેન અને બોટ માલિકો તેમજ આગેવાનોની એક મિટિંગ પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવી હતી. અને આં કામગીરી બાબતે તમામને માહિતી આપવામાં આવી હતી.અને બોટમાં આં સ્ટીકર લગાડી અને આં કાર્યવાહી આરંભાઈ હતી. આ સમયે એસાઓજી અને સલાયા મરીન પોલીસ સાથે રહી હતી અને કામગીરી ચાલુ કરાઈ હતી. તેમજ જૈન દ્વારા દરિયાઈ વિસ્તારમાં કોઈ ખોટી હિલચાલ જણાઇ તો તુરંત પોલીસને જાણ કરવા પણ જણાવાયું હતું. આમ હાલ દરિયાઈ વિસ્તારને વધુ સુરક્ષિત કરવા આં કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાણીપુરીમાં મળી આવ્યા કેન્સર પેદા કરનારા કાર્સિનોજેનિક તત્વો
July 03, 2024 02:21 PMશું રિવર્સ વૉકિંગથી સ્વાસ્થ્યને લાભ થાય છે?
July 03, 2024 01:50 PMટેસ્લા કારની સ્ક્રીનમાં ચાઈનીઝ બાળકીએ શોધી મોટી સમસ્યા, ઈલોન મસ્કએ આપી પ્રતિક્રિયા
July 03, 2024 01:35 PMવરસાદના પાણીને કેવી રીતે મપાય છે? તેને કેમ લીટરમાં નથી માપવામાં આવતું?
July 03, 2024 01:07 PMઅમરનાથ યાત્રાથી પરત ફરી રહેલી બસની બ્રેક ફેઇલ, જીવ બચાવવા ચાલતી બસમાંથી લોકોએ લગાવી છલાંગ
July 03, 2024 12:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech