ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં 6 દરવાજા 0.9 મીટર ખોલાયા, રાજકોટ જિલ્લાના આ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના

  • July 22, 2024 10:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ડેમના 6 દરવાજાને 0.9 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના કેટલાક ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


રાજકોટ જિલ્લાના આ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચારેલીયા, ખારચીયા અને રાજપરા ગામના લોકોને સાવચેત રહેવા તથા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા જણાવવામાં આવ્યું છે.


કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો

આ ઉપરાંત દ્વારકા જીલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. દ્વારકાના ચાચલાણા ગામે વરસાદી પાણી ભરાયાં હતા. કલ્યાણપુરને જોડતો રસ્તો બંધ થયો છે. બેઠાપુલ પર પાણી ફરી વળતા અવરજવર બંધ થઈ છે. ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. માલઢોર અને લોકોએ અન્ય સલામત જગ્યા પર સ્થળાંતર થવું પડ્યું છે. અમુક લોકો મકાનની છત પર બેસી દિવસ પસાર કરવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે. અનેક વખત રજૂઆત છતા પુલ બાબતે કોઈ યોગ્ય ઉકેલ નથી આવી રહ્યો તેવી ફરિયાદ લોકો કરી રહ્યાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application