Arvind Kejriwal: 'જો જામીન આપી દિધા તો...' CBIની આ દલીલ સાંભળ્યા બાદ SCએ જામીન પર અનામત રાખ્યો પોતાનો નિર્ણય

  • September 06, 2024 12:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં CBIની દલીલનો સખત વિરોધ કર્યો હતો, કે તેણે કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં જામીન માટે પહેલા નીચલી કોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો. તેમણે કહ્યું કે આ સમયે કેસને નીચલી કોર્ટમાં પાછો મોકલવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.


દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને જામીનને પડકારતી અરજી પર દલીલો પૂર્ણ કર્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. ગુરુવારે કેજરીવાલ અને CBI વચ્ચે જામીનને લઈને જોરશોરથી બહસ થઈ હતી.


કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઈની ધરપકડને ગેરકાયદેસર ગણાવીને તેમની મુક્તિ અને જામીનની માંગ કરી હતી. જ્યારે સીબીઆઈએ એમ કહીને ધરપકડને યોગ્ય ઠેરવી હતી કે કેજરીવાલ તપાસમાં સહકાર આપી રહ્યા ન હતા, તેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને સીબીઆઈને તપાસ અને ધરપકડ કરવાનો અધિકાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application