શહેરમાં ગણેશજીની વિવિધ મૂર્તિઓનું આગમન

  • August 31, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી શનિવારે ગણેશ ચતુર્થી છે ત્યારે ભાવનગર શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું આગમન થયું છે અને  વેચાણ થઈ રહયુ છે. શહેરના જવાહર મેદાન, વાઘાવાડી કાળિયાબીડ,ઘોઘા જકાતનાકા,ભાવનગર પરા સહિતના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓનું વેચાણ  છેલ્લા થોડા દિવસથી વિક્રેતાઓ દ્વારા કરવામાં આવી રહયુ છે.જેમાં રૂ.૩૦૦થી રૂ.૧૦૦૦૦ સુધીની મૂર્તિઓ વેચાણ માટે રાખવામાં આવી છે.પર્યાવરણને ધ્યાનમાં લઈ મોટા ભાગે મૂર્તિઓ ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે.ગણેશજીની અનેક મૂર્તિઓ ડાયમંડ, સ્ટોન વગેરેથી બનાવવામાં આવી છે.તો ગણેશજીની પાઘડીધારી મૂર્તિઓ પણ આકર્ષણરૂપ બની છે. હાલ ઘરાકી સારી છે અને ૭૦ ટકા બુકિંગ થઈ ગયું છે.આગામી દિવસોમાં મૂર્તિઓના સારા  પ્રમાણમાં વેચાણની આશા મૂર્તિના વિક્રેતાઓએ દર્શાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application