જોડીયા તાલુકાના તારાણાધાર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન

  • December 06, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું

રાજ્યભરમાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના તારાણાધાર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારીને તેનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોની ટી.બી. અને સિકલ સેલની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં ૪૫ ગ્રામજનો જોડાયા હતા. તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.
આ ઉપરાંત, આયુષ્માન કાર્ડનું વિતરણ, ડ્રોન નિર્દશન, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન, વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, અધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application