લાલપુર તાલુકાના કાનવીરડી, કાનાલુસ અને નવાધુણીયા ગામમાં સંકલ્પ રથનું આગમન

  • January 04, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર તાલુકાના કરાણા અને દલતુંગી ગામમાં સંકલ્પ રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની શરૂઆત કરવામાં આવી છે. જેને જામનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. લાલપુર તાલુકાના કાનવીરડી, કાનાલુસ અને નવાધુણીયા ગામમાં સંકલ્પ રથનું આગમન થયું હતું. ગ્રામજનો દ્વારા સંકલ્પ રથ યાત્રા અને મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. આ ઉપરાંત, લાભાર્થીઓએ "મેરી કહાની, મેરી જુબાની" માં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નીહાળી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, શાળાના શિક્ષકગણ, ગામના સ્થાનિક આગેવાનો, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા માટે ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર તાલુકાના કરાણા અને દલતુંગી ગામમાં ગ્રામજનો દ્વારા સંકલ્પ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓના લાભો આપીને તેમને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application