મનદુ:ખના કારણે સાસરીયાઓ તુટી પડયા : ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી પોલીસ
ભાણવડ તાલુકાના શેઢાખાઇ ગામે પ્રેમલગ્નના મનદુ:ખમાં બાવાજી યુવાનની હત્યા નિપજાવવામાં આવી હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાખી છ શખ્સોને પકડી લીધા છે.
ભાણવડ વિસ્તારમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી હતી, તા. 4-8ના ભાણવડ પોલીસ સ્ટેશનના પાર્ટ-એનો ગુનો બીએનએસ કલમ 103(2), 189(2), 189(4), 191(2), 191(3), 190 તથા જીપીએકટ 135(1) મુજબ ગુનો દાખલ થયેલ હોય આ કામના ફરીયાદી નિર્મળાબેન લક્ષ્મીદાસ દુધરેજીયા રહે. શેઢાખાઇ ગામ, તા. ભાણવડવાળાએ તેના દિકરા યાજ્ઞીકભાઇ લક્ષ્મીદાસ દુધરેજીયા નામના યુવાનને આરોપીઓએ જુના મનદુ:ખના કારણે ગેરકાયદે મંડળી રચી હથીયારો વડે આડેધડ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા કરી યાજ્ઞીકભાઇનું ખુન કરી નાશી છુટયા હતા. આ ગુનાની તપાસ પીએસઆઇ કે.કે. મા ચલાવી રહયા હતા.
દરમ્યાન દ્વારકા એલસીબી, એસઓજી અને સ્ટાફ સાથે ટીમ બનાવી અલગ અલગ ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં સધન તપાસ કરીને આરોપીઓના લોકેશન મેળવી આ ગુનાના કામે ગણતરીની કલાકોમાં આરોપીઓ શેઢાખાઇ નદી કાંઠે રહેતા આદમ મુસા દેથા, શેઢાખાઇ ગણેશ સોસાયટીના હોથી ઉર્ફે ડાડો કાસમ દેથા, વાડી વિસ્તારના જુમા મુસા દેથા, ઓસમાણ મુસા દેથા, સાજીદ ઇસા દેથા અને સલીમ હુશેન દેથાને પકડી લીધા હતા.
હત્યાનો બનાવ સામે આવતા દ્વારકા એસપી નિતેશ પાંડેય, ખંભાળીયા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી, સીપીઆઇ યુ.કે. મકવાના માર્ગદર્શન હેઠળ દ્વારકા એલસીબી પીઆઇ કે.કે. ગોહીલ, એસઓજી પીઆઇ પી.સી. સીંગરખીયા, ભાણવડ પીએસઆઇ કે.કે. મા, સેક્ધડ પીએસઆઇ એન.એન. વાળા તેમજ સ્ટાફ દ્વારા સંયુકત કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech