વિશ્વ થાયરોડ દિવસ નિમિતે દરદીઓ માટે આયોજન

  • May 28, 2025 12:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇટ્રા ખાતે હાઇપોથાયરોઇડિઝમના રોગી માટે નિ:શુલ્ક જાગૃતિ-ચિકિત્સા કેમ્પ.’

આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર ખાતે કાયચિકિત્સા વિભાગ દ્વારા તા. ૩૦ મે શુક્રવારે સવારે ૯ થી ૧૨:૩૦ દરમિયાન ઓ.પી.ડી. રૂમ નંબર – ૧૧, ઓ.પી.ડી. બ્લોક, આયુર્વેદ પરિસર, આઇ.ટી.આર.એ. ખાતે હાઇપોથાયરોઇડિઝમના દરદીઓ માટે જાગૃતિ સહ: સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
​​​​​​​

વજન વધવું, થાક લાગવો, સૂકી ત્વચા, વાળ ખરવા, અસામાન્ય માસિક ધર્મ, ઘોઘરો અવાજ, ચિંતા અને નિરાશા જેવા લક્ષણો જો જાણવા મળે તો હાઇપોથાયરોઇડિઝમ હોવાની શ્ક્યતા વધું છે. તો આ પ્રકારના લક્ષણો ધરાવતા દરદીઓ માટે રોગ વિષે માહિતી અને તેના ઇલાજ માટે ઇટ્રા ખાતે આ કેમ્પમાં કાયચિકિત્સા વિભાગના વડા પ્રો. મંદીપ ગોયલ અને તેની તજજ્ઞ આયુર્વેદાચાર્યોની ટીમ દ્વારા જાગૃતિ સહ: ચિકિત્સા આપવામાં આવશે. જેનો લાભ લેવાં સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી દ્વારા યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application