પોરબંદરમાં ૩૫૦૦ ફૂલસ્કેપ ચોપડાનું થયુ વિતરણ

  • June 02, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં જુદા-જુદા પ્રકારની સેવાપ્રવૃત્તિઓ કરતી સંસ્થા ભગવતી રન્નાદે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ થયુ હતુ. 
ભગવતી રન્નાદે સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર  ફૂલસ્કેપ ચોપડા વિતરણ કાર્યક્રમ સંપન્ન થયેલ હતો. જેમાં અંદાજે ૩૫૦૦ ચોપડા નું વિતરણ થયેલ. 
જેમાં દાતાઓના સહયોગથી તથા દશા સોરઠીયા વણિક જ્ઞાતિની વંડીના સહકારથી આ કાર્યક્રમ થયેલ હતો. જેમાં ટ્રસ્ટના પ્રમુખ ભગીરથભાઇ પ્રીતીબેન રાચ્છ, રાજુભાઇ હિંડોચા, પ્રિતેશભાઇ વાકાણી, રસીકભાઇ પઢીયાર, પરીમલભાઇ મકવાણા, જયંતભાઇ સોનઘેલા, મનોજભાઇ પંડયા, તેમજ ઉપસ્થિત કાર્યકર્તાજનોના સહકારથી કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application