હવે મનમાની નહીં ચાલે: દિલ્હી સરકાર કોચિંગ સેન્ટરો માટે લાવી રહી છે નવો કાયદો, વિદ્યાર્થીઓ પણ આપી શકશે સૂચનો

  • July 31, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​દિલ્હીના રાજેન્દ્ર નગરમાં થયેલા અકસ્માત બાદ દિલ્હી સરકાર કોચિંગ સેન્ટરોને નિયમિત કરવા માટે નવો કાયદો લાવી રહી છે. શિક્ષણ મંત્રી આતિષીએ આની જાહેરાત કરી છે. આતિશીએ કહ્યું જેમ ખાનગી શાળાઓ કાયદા હેઠળ નિયમન થાય છે, ખાનગી હોસ્પિટલો કાયદા હેઠળ નિયમન થાય છે. તેવી જ રીતે દિલ્હી સરકાર કોચિંગ સંસ્થાઓને નિયંત્રિત કરવા માટે કાયદો લાવશે.


આ કામ પર પ્રતિબંધ મુકવામાં આવશે

વધુમાં જણાવ્યું હતું કે તમામ પ્રકારની કોચિંગ સંસ્થાઓ તેના કાર્યક્ષેત્રમાં આવશે. આ કાયદા દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષકોની લાયકાત, ફી નિયમન, ભ્રામક જાહેરાતો બંધ થશે. કોચિંગ સંસ્થાઓનું નિયમિત નિરીક્ષણ પણ કરવામાં આવશે.


અહીં સૂચનો મોકલી શકો છો

અમે આ માટે એક કમિટી બનાવીશું. જેમાં અધિકારીઓ ઉપરાંત કોચિંગ સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવશે. આ કાયદા માટે પ્રતિસાદ લેવા માટે એક મેલ ID Coaching.law.feedback@gmail.com બનાવવામાં આવ્યું છે. જેના પર તમાર સૂચનો મોકલી શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application