સોની બજાર આજુબાજુના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરો

  • July 30, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.7માં યોજાયેલા મેયર તમારા દ્વારે લોક દરબારમાં વોર્ડ નં.7ના નાગરિકો દ્વારા સોની બજાર તેમજ તેની આજુબાજુમાં આવેલા વિસ્તારો તેમજ પ્રહલાદ પ્લોટ અને વર્ધમાન નગર વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે નાગરિકો તથા વેપારીઓ તરફથી રજુઆતો મળી હતી. લોક દરબારમાં કુલ 63 પ્રશ્નો રજૂ થયા હતા.
લોકદરબારમાં રજૂ થયેલા અન્ય 63 પ્રશ્નો-રજૂઆતોમાં મુખ્યત્વે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ તથા ગરેડીયાકુવા રોડ પર દબાણ દૂર કરવા, લાખાજીરાજ રોડ પર યુરિનલની નિયમિત સફાઈ કરવા, બંગડી બજાર તથા સોની બજારમાં રાત્રી સફાઈ કરવા, વિજય પ્લોટમાં આવેલ વોકળાની સફાઈ કરવા, દાણાપીઠ અને પરાબજારમાંથી રેંકડીઓ કાયમી ધોરણે દૂર કરવા, મનહર પ્લોટમાં ભૂગર્ભ ગટરની લાઇન બદલાવવા, પાણી વિતરણમાં ફોર્સ ઓછો, દાણાપીઠમાં નિયમિત સફાઈ કરવા, રઘુવીરપરામાં નિયમિત સફાઈ કરવા, વર્ધમાનનગર-પ્રહલાદ પ્લોટમાં અશાંત ધારો લાગુ કરવા રજુઆત, વર્ધમાનનગરમાં કાયમી સફાઈ કરવા બાબત, ગુરૂકુળ પાસે ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ કરવા બાબત, કડિયા પ્લોટમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, ત્રિકોણ બાગ બસ સ્ટેન્ડ ખાતે બેસવાની વ્યવસ્થા કરી આપવા બાબત, ફૂટપાથ પર સુતા રહેતા લોકોને રેનબસેરામાં સ્થળાંતર કરાવી આપવા બાબત, રામનાથપરા મહાદેવ મંદિર ખાતે વધારાની લાઈટ ફિટ કરાવવા બાબત, ભવાનીનગર વિસ્તારમાં આર.સી.સી. કરાવી આપવા બાબત, સોની બજારની આસપાસના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા બાબત, કિશાનપરા ચોકમાં ખુલ્લા પ્લોટમાં સફાઈ કરવા બાબત, રામનાથપરા મહાદેવ મંદિર ખાતે રિટેઇનીંગ વોલ બનાવવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થઇ હતી.દરમિયાન આવતીકાલ તા.31-7, બુધવારના રોજ સવારે 9 થી11 દરમ્યાન વોર્ડ નં.8માં વોર્ડ ઓફીસ વોર્ડ નં.8-અ, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, નિર્મળા કોન્વેન્ટ સ્કુલ પાછળ, નિર્મલા રોડ, રાજકોટ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબાર કાર્યક્રમ યોજાશે.



કોંગી આગેવાનોની રજૂઆતો કેમ સાંભળો છો? ભાજપમાં અંદરો અંદર પણ ભારે જામી પડી
વોર્ડ નં.7ના લોક દરબારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક સટાસટી બોલી ગયા બાદ ખુદ ભાજપ્ના જ આગેવાનો કોર્પોરેટરો અને કાર્યકતર્ઓિ વચ્ચે ભારે જામી પડી હોવાનું જાણવા મળે છે. અમુક કોબી આગેવાનોની ફરિયાદો અને રજૂઆતો સાંભળવામાં આવ્યા બાદ ભાજપ્ના વોર્ડ સંગઠનના આગેવાનોએ કોર્પોરેટરો સમક્ષ એવો બળાપો ઠાલવ્યો હતો કે કોંગી આગેવાનોની રજૂઆતો કેમ સાંભળો છો? અમે પણ અહીં રજૂઆત કરવા જ આવ્યા છીએ વિપક્ષને કેમ મહત્વ અપાય છે ? તેવા મુદ્દે ચકમક જરી હતી. વોર્ડ નં.7માં લોક દરબારએ રાજકીય સ્વરૂપ પકડી લેતા લોક દરબારના પ્રારંભે ભાજપ કોંગ્રેસ વચ્ચે અને ત્યારબાદ ભાજપ્ના જ આગેવાનો વચ્ચે અંદરો અંદર બોલાચાલી થતા લોક દરબારનો મૂળભૂત હેતુ સાર્થક થયો ન હતો.


ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે શાબ્દિક સટાસટી બોલી ગઇ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.7માં યોજાયેલા લોક દરબારમાં પૂર્વ વિપક્ષી નેતા પ્રવીણભાઈ રાઠોડ તેમજ કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા લોક પ્રશ્નો રજૂ કરવા માટે ગયા હતા. દરમિયાન પ્રવીણભાઈ રાઠોડએ પ્રશ્નો અંગે રજૂઆત કયર્િ બાદ ભાજપ્ના કોર્પોરેટર નેહલ શુક્લએ જણાવ્યું હતું કે પૂર્વ કોર્પોરેટરો કે ચૂંટણી હારેલા ઉમેદવારોએ પ્રશ્નો કે રજૂઆત કરવી હોય તો લેખિતમાં આપો તેથી અન્ય નાગરિકો તેમની રજૂઆત કરી શકે અને કાર્યક્રમ આગળ ચાલે આવું કહેતા હોબાળો થયો હતો. દરમિયાન કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા એ આ બાબતનો વિરોધ કરતા શાબ્દિક સટાસટી બોલી ગઇ હતી. દરમિયાન રણજીત મુંધવાએ એવો આક્ષેપ કર્યો હતો કે લોક દરબારમાં ફક્ત ભાજપ્ના આગેવાનો અને કાર્યકરો જ આવે છે અને તેમણે કરેલી ફરિયાદ અને રજૂઆત મુજબના પ્રશ્નો જ ઉકેલાય છે, લોકદરબારમાં તેમણે કરેલી રજૂઆત સાંભળવામાં આવી ન હોય આ મામલે તેમણે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સુધી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application