અનુપમાના વનરાજ શાહના જૂતા સાફ કર્યા જેકી ચેનએ

  • May 31, 2024 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ટીવી સિરિયલ અનુપમા ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે. અનુપમાની આખી સ્ટાર કાસ્ટ શોમાં લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી ચૂકી છે. વનરાજ શાહે આ શોમાં નેગેટિવ પાત્ર ભજવ્યું છે પરંતુ તેમ છતાં તેણે દરેક ઘરમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. હવે લોકો તેમને સુધાંશુ તરીકે નહીં પણ વનરાજ શાહ તરીકે ઓળખે છે. ટીવીમાં કામ કરતા પહેલા સુધાંશુએ ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હવે સુધાંશુએ જેકી ચેન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો છે. સુધાંશુએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે કેવી રીતે જેકી ચેને એકવાર તેના જૂતા સાફ કર્યા હતા.


એક ઈન્ટરવ્યુમાં સુધાંશુએ જેકી ચેન સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. સુધાંશુએ તેની સાથે હોલીવુડ ફિલ્મ ધ મિથમાં કામ કર્યું હતું. ત્યારે એકવાર જેકી ચેને સુધાંશુ શૂઝ સાફ કર્યા હતા. જે જોઈને સુધાંશુ આશ્ચર્ય ચકિત થઇ ગયો હતો.


સુધાંશુએ જણાવ્યું કે 'ફિલ્મના શૂટિંગ દરમિયાન એક ક્રૂ મેમ્બરને તેના શૂઝ સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એક દિવસ જ્યારે તેના પગ ગંદા હતા, ત્યારે જેકી ચેને એક કપડું ઉપાડ્યું અને જગ્યા ગંદી ન થાય તે માટે મારા જૂતા સાફ કર્યા. આ જોઈને હું ચોંકી ગયો હતો.


શું અભિનેતા અનુપમા  મૂકી દેશે?

કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે વનરાજ શાહ અનુપમા સીરીયલ છોડી દેવાના છે. સુધાંશુએ શો છોડવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું હતું અને કહ્યું કે  શો છોડવાનો વિચાર મારા મગજમાં ક્યારેય આવ્યો નથી. મેં આ વાત ક્યારેય કોઈને કહી પણ નથી. મને લાગે છે કે જે શો લોહી, પરસેવા અને મહેનતથી બનાવ્યો છે તેને હું કેવી રીતે છોડી શકું? આઇકોનિક બની ગયેલા વનરાજ શાહના પાત્રને હું કેવી રીતે છોડી શકું?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application