અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક જવાન શહીદ

  • September 15, 2023 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અનંતનાગમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે અને આતંકીઓ પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. અનંતનાગ એન્કાઉન્ટરમાં વધુ એક જવાન શહીદ થતા ભારતના કુલ ચાર જવાન શહીદ થયા છે. અનંતનાગમાં લાપતા જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અનંતનાગમાં બુધવારે આતંકીઓ અને સુરક્ષાબળો અથડામણ શ થઈ હતી, જેમાં ભારતીય સેનાના ૨ જવાન અને જમ્મુ કાશ્મીર પોલીસના એક ઓફિસર શહીદ થયા હતા. ગુવારના રોજ બે જવાન ગંભીર રીતે ધાયલ થતા ભારતીય સેનાના કુલ ૫ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે.


જમ્મુ કાશ્મીર પોલીસે અથડામણવાળા વિસ્તારમાં એક સ્થાનિક આતંકી ઉજૈર ખાન અને એક વિદેશી આતંકી હોવાની પુષ્ટ્રી કરી છે. સુરક્ષાબળોએ એક આતંકી ઠાર કર્યેા છે તથા અન્ય આતંકીનો શોધખોળ કરવામાં આવી રહી છે.પોલીસનો સૂત્રધાર આતંકીઓનો એજન્ટ નીકળ્યો છે. આ સૂત્રધારે આતંકીઓને આર્મી અને પોલીસના આવવાની સૂચના આપી હતી. સેના અને આર્મીની ટીમ કેટલી સંખ્યામાં અને કેવી રીતે આવી રહી છે, તે તમામ બાબતોની જાણકારી આતંકવાદીઓને આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application