બિહારમાં પુલો નીચે પડવાની, ધરાશાયી થવાની અને બરબાદ થવાની ઘટના લગાતાર ચાલુ છે. થોડા સમય પહેલા જ અરરિયામાં બકરા નદી પર બની રહેલા પુલના તુટી જવાની ઘટના બની હતી. તેમાં વધારો કરી એક ઘટના ફરી બની છે. આજે શનિવારે સિવાનમાં ગંડક કેનાલ પર બનેલો પુલ જોરદાર અવાજ સાથે તૂટી પડ્યો હતો. પુલ ધરાશાયી થયા બાદ ઘણા ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્રિજ તૂટી પડવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના સિવાન જિલ્લાના દારુંડા બ્લોકની રામગઢ પંચાયતમાં બની હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પીલર ડૂબી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે.
હાલ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી નથી. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ પુલ મહારાજગંજ બ્લોકના પટેઢી બજાર અને દારુંડા બ્લોકની રામગઢ પંચાયતને જોડતો હતો. આ પુલ પરથી અનેક ગામોના લોકો અવરજવર કરતા હતા. પુલ તૂટવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. જેના કારણે હજારો રાહદારીઓને અસર થઈ રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પુલ શનિવારે સવારે તૂટી પડ્યો હતો. કહેવાય છે કે આ પુલ 35-40 વર્ષ જૂનો હતો. સારી વાત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક લોકોએ દાન આપીને આ પુલ બનાવવાની શરૂઆત કરી હતી. બાદમાં કેટલીક સરકારી સહાય મળી હતી. લોકોનું કહેવું છે કે સરકાર પાસે અમારી માંગ છે કે બ્રિજનું સત્વરે સમારકામ કરવામાં આવે જેથી ખોરવાઈ ગયેલો વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શકે.
અરરિયામાં ઉદ્ઘાટન પહેલા જ તુટી પડયો બ્રિજ, 12 કરોડના ખર્ચે બનાવાયો હતો
મળતી માહિતી મુજબ આ બ્રિજમાં સમસ્યા પહેલાથી જ સ્પષ્ટ હતી. શનિવારે સવારે પુલ પર તિરાડો જોવા મળી હતી જે બાદ ગ્રામજનોએ આવવા-જવાનું બંધ કરી દીધું હતું. સવારથી જ મોટી સંખ્યામાં લોકો પુલ પાસે એકઠા થઈ ગયા હતા અને મુસાફરોને ચેતવણી આપી રહ્યા હતા. આ જ કારણ છે કે આટલી મોટી ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. ગ્રામ્ય બાંધકામ વિભાગે આ પુલ બનાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વિભાગના જેઈ અને એઈને સજા થઈ શકે છે.
આ પહેલા બિહારના અરરિયા જિલ્લામાં 12 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો પુલ ધરાશાયી થયો હતો. જિલ્લામાં બકરા નદી પર પુલ બનાવવામાં આવી રહ્યો હતો. મંગળવારે બપોરે નેપાળથી સિક્તી બ્લોકમાંથી વહેતી બકરા નદીમાં મોટી માત્રામાં પાણી પ્રવેશ્યું હતું. જેના કારણે પુલના બે પિલર તૂટી પડ્યા હતા અને તે પળવારમાં તૂટી પડ્યું હતું. આ કેસમાં ઘણા એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech