કોઠારીયા ગામ વર્ષ–૨૦૧૫માં રાજકોટ મહાપાલિકાની હદમાં ભેળવ્યાને નવ વર્ષ વિતી ગયા બાદ ૨૦૨૪માં પણ કોઠારીયાના વિસ્તારોમાં ડામર રસ્તા, નળ, ડ્રેનેજ, લાઇટ અને સફાઇ સહિતની પ્રાથમિક સુવિધા પણ મળી ન હોય રહીશોમાં રોષની લાગણી છે. દરમિયાન આજે વોર્ડ નં.૧૮ કોઠારીયાના સનાતન પાર્કની મહિલાઓ રણચંડી બની હતી અને રસ્તા તેમજ પાણીના પ્રશ્ને મતદાનના બહિષ્કારનું એલાન જાહેર કયુ હતું.
સનાતન પાર્ક વિસ્તારની મહિલાઓ આજે સવારે વિસ્તારમાં એકત્રિત થઇ હતી અને ઉપરોકત મામલે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરીને દરેક શેરીના થાંભલે મતદાનનો બહિષ્કારના બેનર લગાવ્યા હતા. વિશેષમાં સનાતન પાર્કના લતાવાસી મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી તેઓ રસ્તા અને પાણીના પ્રશ્ને અવારનવાર રજુઆતો કરી રહ્યા છે પરંતુ આજ દિવસ સુધી તેમના વિસ્તારની સમસ્યાનું કોઇ જ નિરાકરણ આવ્યું ન હોય આગામી લોકસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા સૌએ સાથે મળીને સામુહિક નિર્ણય કર્યેા છે. તેમણે ઉમેયુ હતું કે તેઓની એક જ માંગ છે કે સનાતન પાર્ક શેરી નં.૧થી શેરી નં.૫માં રસ્તા અને પાણીના નિકાલનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે ઉકેલવામાં આવે અને જરી સુવિધાઓ આપવામાં આવે તો જ તેઓ મતદાન કરશે નહીં તો મતદાનનો બહિષ્કાર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૧૮ કોઠારીયાના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય ત્યાં આગળની અલગ અલગ રહેણાંક સોસાયટીઓ અને ઔધોગિક વિસ્તારોમાં અવારનવાર ડામર રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઇટ, સફાઇ સહિતની સુવિધાઓ આપવાની માંગ સાથે આંદોલન, ચક્કાજામ, ધારાસભ્યની કારને ઘેરાવ, ટોળાં સ્વપે રજુઆત જેવા બનાવો બન્યા છે પરંતુ આજે તો ઉપરોકત વિસ્તારની મહિલાઓ દ્રારા મતદાન બહિષ્કારનું એલાન અપાયું છે
કોઠારીયાના સનાતન પાર્કમાં આજે સવારે લતાવાસી મહિલાઓનું ટોળું એકત્રિત થયું હતું અને શેરીએ શેરીએ બેનર લગાવી મતદાન બહિષ્કારની જાહેરાત કરી હતી તે ઉપરોકત તસવીરોમાં દ્રશ્યમાન થાય છે, લતાવાસીઓ આ તસવીરો આજકાલ દૈનિકને સોશ્યલ મીડિયાથી મોકલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech