ગાંધી જયંતી નિમિત્તે કતલખાના બંધ રાખવા મહાનગરપાલિકાનું જાહેરનામું

  • September 28, 2023 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકા દ્રારા ગાંધી જયંતિ નિમિતે તા.૨ ઓકટોબરએ કતલખાના બધં કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના કમિશનર આનદં પટેલ દ્રારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામમાં જણાવ્યું છે કે આગામી તા.૨–૧૦–૨૦૨૩ના રોજ ગાંધી જયંતી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બધં રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબધં ફરમાવવામાં આવે છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભગં કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ–૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી તેમ અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application