અંકિતાએ સુશાંત આપેલી યાદગીરી હંમેશ માટે ગુમાવી

  • February 06, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બિગ બોસ 17માં 107 દિવસ વિતાવ્યા બાદ અભિનેત્રી અંકિતા લોખંડે ઘરે પરત ફરી છે. પરંતુ આ દરમિયાન તેને એક દુખદ સમાચારમાંથી પસાર થવું પડ્યું છે. પર  દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.  સુશાંત સિંહ રાજપુતે આપેલી ગિફ્ટને તેને હમેશ માટે ખોઈ દીધી છે.

બિગ બોસ 17ના ઘરમાંથી બહાર નીકળ્યાના થોડાં દિવસો બાદ જ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેના ઘરેથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. ‘પવિત્ર રિશ્તા’ ફેમ એક્ટ્રેસના પાલતુ કૂતરાએ દુનિયાને અલવિદા કહી દીધું છે અને દુનિયામાંથી વિદાય લેવાથી અંકિતા ખૂબ જ ભાવુક થઈ ગઈ છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર તેના પાલતુ કૂતરાના મૃત્યુની માહિતી આપી છે.


અંકિતા ઈમોશનલ થઈ ગઈ

અંકિતા લોખંડેએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે તેના પાલતુ કૂતરા સ્કોચનો ફોટો શેર કર્યો છે અને માહિતી આપી છે કે સ્કોચ હવે આ દુનિયામાં નથી. અભિનેત્રીએ તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘તમને ખૂબ જ યાદ કરવામાં આવશે. શાંતિથી આરામ કરો સ્કોચ.’ અંકિતાના ફેન્સે આ ભાવનાત્મક પોસ્ટ પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.


મળતા અહેવાલો મુજબ આ કૂતરો અંકિતાને તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂતે ભેટમાં આપ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્કોચ સાથે રમતા જોવા મળી રહ્યો છે.


અન્ય એક યુઝરે અંકિતાની પોસ્ટ પર લખ્યું, ‘હે ભગવાન, ધ્યાન રાખજો.’અંકિતાની પોસ્ટ પર તેના ખાસ મિત્ર અમૃતા ખાનવિલકરે પણ ‘સ્કોચ’ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોમેન્ટ કરતી વખતે તેણે લખ્યું, ‘હે ભગવાન, તેનાં  આત્માને શાંતિ મળે.’ તમને જણાવી દઈએ કે અમૃતા ખાનવિલકર પણ બિગ બોસના ઘરમાં તેના મિત્રને સપોર્ટ કરતી જોવા મળી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application