જમ્મુના બટ્ટલ સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો

  • July 23, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીરમાં આતંક્વીદીઓની ઘૂસણખોરીના પ્રયાસને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવી દીધો છે. સેનાના જવાનોએ આતંકવાદીઓને જોતાની સાથે જ ગોળીબાર શરુ કરી દેતા આતંકવાદીઓને ભાગવું ભારે થઈ પડ્યું હતું. કરી દીધો હતો.ભારતીય સેનાના સુત્રોએ જણાવ્યું હતું કે સેનાના જવાનોએ મંગળવારે સવારે જમ્મુ-કાશ્મીરના બટાલ સેક્ટરમાં આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. ભારે ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થવાના અહેવાલ છે. ભારતીય સેનાની વ્હાઇટ નાઈટ કોર્પ્સ (16 કોર્પ્સ) એ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. એક્સ પર લખવામાં આવ્યું છે કે સેનાના જવાનોએ સવારે 3 વાગ્યે બટ્ટલ સેક્ટરમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો અને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. આ વિસ્તારમાં ઓપરેશન ચાલી રહ્યું છે.


ગ્રામ રક્ષા દળના સભ્યના નિવાસ પર હુમલામાં સામેલ આતંકી ઠાર
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં, સેનાના જવાનોએ સોમવારે વહેલી સવારે એક સૈન્ય ચોકી અને ગ્રામ રક્ષા દળના સભ્યના નિવાસસ્થાન પર આતંકી હુમલો કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. સેનાએ કહ્યું કે આ ઘટનામાં સામેલ આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગ્રામ રક્ષા દળના સભ્યના નિવાસસ્થાન પર હુમલામાં સામેલ આતંકવાદી માર્યો ગયો છે.

સોમવારે જમ્મુ ક્ષેત્રમાં હુમલાની આ 14મી ઘટના
તાજેતરના સમયમાં જમ્મુ ક્ષેત્રમાં સોમવારે થયેલો આતંકવાદી હુમલો છેલ્લા થોડા જ સમયમાં આ 14મી ઘટના છે. જેમાં બે અધિકારીઓ અને નવ શ્રદ્ધાળુઓ સહિત 10 સુરક્ષા જવાનોએ જીવ ગુમાવ્યા છે. અને 58 અન્ય ઘાયલ થયા છે. આ દરમિયાન પાંચ આતંકવાદીઓ માયર્િ ગયા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application