જામનગરમાં ગળાફાંસો ખાઇ વૃઘ્ધનો આપઘાત

  • March 13, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કામધંધો સરખો ચાલતો ન હોવાની ચિંતામાં પગલુ ભર્યુ

જામનગરના પંચેશ્ર્વર ટાવર વંડાફળીમાં રહેતા વૃઘ્ધનો કામ ધંધો બરાબર ચાલતો ન હોય જે બાબતની ચિંતા અને મનમાં લાગી આવતા નાગેશ્ર્વર જુના ભાડાના મકાને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જામનગરના વંડાફળી ગરબી ચોક ખાતે રહેતા અને વેપાર કરતા ભરત વિરજીભાઇ બારીયા (ઉ.વ.૫૩) નામના વૃઘ્ધનો ઘણા સમયથી કામ ધંધો સરખો ચાલતો ન હોય અને આ બાબતની અવાર નવાર ચિંતા કરતા હતા દરમ્યાન આ અંગે મનમાં લાગી આવતા ગઇકાલે નાગેશ્ર્વર કોલોની ખાતે આવેલ જુના ભાડાના મકાનમાં તેમણે ગળાફાંસો ખાઇ લેતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.
આથી ટુકડી સ્થળ પર આવી તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું આ બનાવ અંગે વંડાફળીમાં રહેતા કેટરીંગનો ધંધો કરતા પંકજ ભરતભાઇ બારીયાએ સીટી-બી ડીવીઝનમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ ચોવટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application