જામનગર ગત તા. ૨૦-૧-૨૪ના રોજ જામનગર શહેર તાલુકાના જામવંથલી ગામના રહેવાસી આયુષ્યમાન દક્ષાબેન ભરતભાઇ જોષી (બ્રાહ્મણ)ના પુત્ર ભાર્ગવકુમાર જોષી, એમ.કોમ.ના મંગલ પરિણય જામવંથલી નિવાસી આયુષ્યમાન પ્રેમીલાબેન દીલીપભાઇ ગોહિલની પુત્રી આયુષ્યવતી આરતી એમ.એસ.ડબલ્યુ, એલએલ.બી.ના લગ્ન બૌદ્ધ સંસ્કાર પ્રણાલિકા મુબ રણજીતસાગર રોડ પર, ગ્રીન સીટી પાસે, ઢોસા હાઉસ, જામનગર ખાતે આંતરજ્ઞાતિય લગ્ન યોજાયા હતા.
સૌ પ્રથમ વર પક્ષ બ્રાહ્મણ જ્ઞાતિના હોય, તેઓને બૌદ્ધ ધમ્મ સંસ્કાર રીતી રિવાજની સમજ આપવામાં આવી છે. બૌદ્ધ ધર્મમમાં જાતિય બંધનકતો નથી, માનવ માનવ એક સમાન તેનો હાર્દછે, જેમાં ભગવાન બુદ્ધને પુષ્પો તથા ડો. આંબેડકરની પ્રતિમાને ફુલમાળાઓ વર વધુ તથા બન્ને પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ. ધુપબતી તથા મીણબતી પ્રગટાવી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ જેમાં ત્રિશરણ, પંચશીલ, બુદ્ધ ધમ્મઅને સંઘ વંદના, સંકલ્પ ગાથા તથા મહામંગલ અષ્ઠગાથાઓનું પરિત પાઠન કરાવવામાં આવેલ હતા અને આશિર્વાદ ગાથાઓનું શ્રવણ કરાવેલ હતું. વર-વધુઓને જીવનભર સાથે રહેવાની, બુદ્ધ ધમ્મ અને સંઘની પાવન સ્મૃતિ સાથે ઉપસ્થિત સમાજને સાક્ષી રાખી પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવેલ હતી. આ બૌદ્ધ સંસ્કાર વિધી સૌરાષ્ટ્રના જાણીતા બૌદ્ધ ધમ્મ ઉપાસક અને વિધીઆચાર્ય મિલિન્દ મકવાણાએ કરેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech