પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે ઉમટી પડે છે તેથી અહીંયા યોગ નિષ્ણાંત પ્રતાપભાઈ થાનકી દ્વારા શરીરના ૧૮ અંગો પર પ્રભુત્વ કઈ રીતે પ્રાપ્ત કરવું? તે અંગેની યોગ અને પ્રાણાયામ ની સમગ્ર ક્રિયા કરાવી હતી તથા વિશિષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ યોગ કરવા આવતા સાધકોને ખૂબ જ ઊંડાણથી માર્ગદર્શન કરાવીને યોગની અવનવી ટેકનિક વિશે વિસ્તૃત સમજ આપી હતી. જેનો વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો એટલું જ નહીં પરંતુ તન મનને સ્વસ્થ રાખવા માટે કઈ રીતે અલગ અલગ પ્રકારની તકનીક અજમાવવી? તેનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું તથા આ પ્રકારનું અમૂલ્ય માર્ગદર્શન આપવા બદલ જીતેન્દ્રભાઈ મદલાણી અને તેમની ટીમે પ્રતાપભાઈ થાનકી નો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech