આટકોટમાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફેલાવાની સંભાવના

  • July 30, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટમાં સ્વામિનારાયણ મંદિર પાસે તેમજ જસદણ ચોકડી પાસે કૈલાશનગર, જુના બસ સ્ટેશન પાસે સહિત વિવિધ જગ્યાઓ પર ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા હોય હાલમાં ચાંદીપુરા રોગચાળો વકર્યો હોય ત્યારે માખી મચ્છરનો ઉપદ્રવ્ય વધારે હોય જેને લઇ આટકોટ ગ્રામ પંચાયત દ્વારા આવા કચરાને ઉપાડી લેવા જોઈએ તેમજ દવાનો પણ છંટકાવ કરવો જોઈએ આરોગ્ય વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવતી ન હોય તેમને પણ દવાના છટકાવ સહિતની કામગીરી કરવી જોઈએ આટકોટ આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર ઇન્ચાર્જમાં હોય જેને લઇ આલ આરોગ્યતંત્રમાં પણ કામગીરી તી ન હોય દવાનો છંટકાવ કરવામાં આવે તેવી પણ લોક માંગણી ઉઠી છે તેમ જ કચરાના જ્યાં ઉકરડા ખડાયેલા હોય એને ઉપાડી લેવામાં આવે હાલ ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે તેમજ આટકોટ ગ્રામ પંચાયત રોડ પર ચાર દિવસી વરસાદી પાણી ભરાતા હોય જેનો પણ નિકાલ કરવામાં આવે તેને લઇ માંગણી ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application