વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી અને ફ્રુટની હરરાજી શરૂ કરવામાં આવશે. આ હરરાજી તા.17ને ગુરુવારે વહેલી સવારે 5-30 કલાકે કરવામાં આવશે. આથી શાકભાજીના વેપારીઓ કમીશન એજન્ટો અને શાકભાજી પકવતા ખેડૂતોને જણાવવામાં આવે છે કે, હરરાજીના અનુસંધાને આજે બુધવારે કાજલી માર્કેટીંગ યાર્ડના શાકભાજીના શેડમાં સાંજે 5-30 કલાકે ગાળા (જગ્યા)ની હરરાજી કરવામાં આવશે. જેથી વેપારીઓ અને કમીશન એજન્ટો એ હાજરી આપવા જણાવાયું છે.કાજલી માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી અને ફ્રુટની હરરાજીની શરૂઆત થતાં વેપારીઓ કમીશન એજન્ટો અને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાયેલ છે કારણ કે કાજલી માર્કેટીંગ યાર્ડ વિશાળ જગ્યામાં ફેલાયેલ છે સાથે યાર્ડની બંને સાઈટમાં નેશનલ હાઇવે રોડ આવેલ છે તેમજ વિશાળ પાર્કિંગની વ્યવસ્થાને કારણે ખેડૂતો વેપારીઓ અને કમીશન એજન્ટોને ટ્રાફીક બાબતે કોઈ અડચણો પડવાની નથી સાથે યાર્ડમાં વિશાળ શેડ આવેલ હોવાથી વરસાદ તડકામાં માલ સામાન બગડવાનો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech