લોકમેળામાં રાઈડસ મંજૂરી માટે હવે અરજી કરાઈ, પરંપરા ન તૂટે તેવી રજૂઆત

  • August 24, 2024 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના રેસકોર્ષ મેદાનમાં આજ સાંજથી શરૂ થનારા ધરોહર લોકમેળાની ત્રણ કલાક પુર્વે પણ ગુંચવાયેલું કોકડું ઉકેલાયું નથી. હવે રાઈડસ સંચાલકો માનવતાના ધોરણે કે, પરંપરા તુટે નહીં તે દરે રાઈડસને મંજુરી મળે તેવી માંગણી સાથે પોલીસ કમિશનરથી લઈ કલેકટર સુધી રજુઆત માટે દોડતા થયા છે.
રાઈડસના પ્લોટ હરાજીમાં રાખનાર વિરેન્દ્રસિંહ ગોહીલ દ્રારા મંજુરી મળી જશે તેવી આશાએ રાય સરકારની એસઓપી અને સ્થાનીક તંત્રના નિયમોના પાલનમાં મુકિત માટે હાઈકોર્ટમાં રીટ કરી હતી પરંતુ હાઈકોર્ટમાંથી એસઓપી પાલન માટેની સ્પષ્ટ્ર સુચના અપાઈ હતી. હવે એસઓપી મુજબ કેમ કાર્યવાહી કરવી તેવી ગુંચવણ રાઈડસ ધારકો અનુભવી રહ્યા છે. મેળો શરૂ થવાના કલાકો પુર્વે પણ મંજુરી માટે રાઈડસ ધારકો દ્રારા અરજી કરાઈ ન હતી અને હવે છેલ્લ ી ઘડીએ ગતરાત્રે અરજી કરી હતી.
આજે પોલીસ કમિશનર કચેરી ખાતે રાઈડસ, પ્લોટ હરાજીમાં લેનાર વિરેન્દ્રસિંહ ગોહીલ અને તેની સાથે દશરથસિંહ વાળા પહોંચ્યા હતા અને ફોર્મ રજુ કયુ હતું. ત્યાર બાદ દશરથસિંહ વાળાએ મીડીયા સમક્ષ એવું જણાવ્યું હતું કે, હાઈકોર્ટે પાંચ દિવસની મુદત આપી છે. તત્રં દ્રારા ફાઉન્ડેશનનો મુદ્દો ઉભો કરાયો હતો. ખરેખર જો ફાઉન્ડેશન ભરાવવાનું હતું તો બે માસ પહેલા કહેવું જોઈએ. આ કામમાં ૧૫ દિવસ જેટલો સમય થઈ જાય. અમે વર્ષેાથી મેળા કરીએ છીએ અને પરફેકટ કામ કરીએ છીએ. અમારા ખાનગી મેળામાં મેયર, ચેરમેન સહિતના રાઈડસમાં બેસી ચુકયા છે.
અમારી માંગણી એવી છે કે, વર્ષેાથી યોજાના મેળાની પરંપરા તુટવી ન જોઈએ. અનેક પરિવારને રોજીરોટી પણ મેળા સાથે જોડાયેલી છે. આ બધા પાસાઓ ધ્યાને રાખીને મંજુરી આપવી જોઈએ. આ વાત ભલે આયોજકો દ્રારા મુકાઈ હોય પરંતુ અિકાંડ બાદ તત્રં એસઓપી વિરૂધ્ધ જઈને કોઈ જોખમ ખેડવા માંગશે નહીં તે હકિકત છે. જો લાઈસન્સ માટે પુરતા ડોકયુમેન્ટ રજુ કરાશે તો તત્રં કલાકોમાં નીરીક્ષણ સાથે પરવાનગી જરૂર આપી દેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application