ઉદ્યોગનગરમાં લવાયેલ ગૌધનને મદદરૂપ બનવા થઇ અપીલ

  • September 09, 2024 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં થયેલ અતિ ભારે વરસાદના કારણે મીલપરાના નીચાણ વાળા વિસ્તારમાં આવેલ પોરાઈમાં ગૌશાળા માં પાણી ભરાઈ ગયું હતું. આ ગૌવંશ નો બચાવ કરવાના હેતુથી ૬૦ થી વધુ ગૌધનને વિજયભાઈ વડુકર ની માલિકીના  જીઆઈડીસી પ્લોટ નંબર.૫૧૭ ખાતે શિફ્ટ કરવા પડ્યા. આ ગૌવંશ ને ૧-૨ મહિના સાચવવા ના છે. અત્યારે ૬૨ છે. હજુ વધારે આવી શકે છે. ઉપરાંત પગની ખરી ને લગતી પણ બીમારી છે, સ્વાભાવિક રીતે  દૈનિક ખર્ચ અંદાજીત ૫૦૦૦ જેટલો થઈ શકે છે. જે ધર્મ પ્રેમી ભાઈ-બહેનને આ સેવામાં સહયોગ કરવાની ઈચ્છા અને અનુકુળતા હોય તે વિજયભાઇ વડુકરના મોબાલઇ નંબર ૯૮૭૯૫ ૧૦૮૫૦ ઉપર સંપર્ક સાધે તેવી અપીલ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application