અમરેલી એસટી ડેપોનું સંભવિત સીએમના હસ્તે લોકાર્પણ

  • September 12, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી શહેર તેમજ જિલ્લ ાની જનતાને આગામી અઠવાડિયા માં અમરેલીમાં બનાવવામાં આવેલ આધુનિક બસ પોર્ટ ની સુવિધા મળતી થશે તેવું જિલ્લ ાના વહીવટી તત્રં દ્રારા જણાવવામાં આવેલ છે આગામી અઠવાડિયામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લ ાના પ્રવાસે આવવાના હોય તારીખ ૧૮ અથવા ૧૯ના રોજ અમરેલીના બસ સ્ટેશન નું પણ લોકાર્પણ થશે કરોડો પિયાના ખર્ચે બનાવવામાં આવેલ આ બસ પોર્ટ નું કામ આખરે આઠ વર્ષે પણ પૂં થયું છે શહેરની જનતાએ તેમજ શહેર વિકાસ સમિતિ દ્રારા આ બસ સ્ટેશન નું લોકાર્પણ થાય તે માટે ગયા અઠવાડિયે મુહિમ ચલાવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી અઠવાડિયે અમરેલી આવતા હોય તેમના આગમન લઈને વહીવટી તંત્રમાં ધમધમાટ શ થયો છે તો ઐંચો અધિકારીઓ દ્રારા ગઈકાલે આ નવા બનેલા બસ પોર્ટ ની મુલાકાત લીધી હોવાનું જાણવા મળેલ છે તો કે વહીવટી તંત્રમાં સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી પરંતુ મુખ્યમંત્રી આવે છે તેની ખાતરી થવા પામી છે. શહેર અને જિલ્લ ાની જનતા છેલ્લ ા આઠ વર્ષથી કામ ચલાવનાર બસ સ્ટેશનમાં હેરાન પરેશાન થઈ ગઈ છે બસ પોર્ટના લોકાર્પણથી જનતાનો સમસ્યામાંથી છૂટકારો થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application