અમરેલી: જાફરાબાદના પીપળીકાંઠામાં યુવક પર જીવલેણ હુમલો: ગુનો નોંધાયો

  • May 13, 2023 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં એક મહિલાનો મોબાઈલમાં આવેલ મેસેજની ઘટનામાં ગઈકાલે સવારનાં ચાર શખસોએ એક માછીમારના ઘરમાં ઘૂસી જઈ લોખંડ પાઈપ, લાકડી વડે જીવલેણ હુમલો કરેલ હતો. હુમલામાં બચાવવા વચ્ચે પડેલ માછીમારની બહેન અને ભાઈ ઉપર પણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીથી ભારે ચકચાર મચેલ હતી.પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે સવારના સુમારે પંકજ લક્ષ્મણભાઈ બારૈયા ઉ.વ.૨૨ નામનો માછીમાર પોતાના ઘરે સુતો હતો ત્યારે રાજેશ ઉર્ફે જીણા પટેલવાળા તુલસીભાઈ સોલંકી, ભાવેશ તુલસીભાઈ સોલંકી, તુલસીભાઈ જીણાભાઈ સોલંકી અને આકાશ પરસોતમભા, વંશ રે.તમામ પીપળીકાંઠા વિસ્તારનાં રહીશો લોખંડ તથા લાકડી પાઈપ લઈ ધસી આવેલ હતા અને પંક્જ ઉપર જીવલેણ હુમલો કરેલ હતો. તેમના બચાવમાં તેમના બહેન જયોતિબેન તથા ભાઈ પરેશ વચ્ચે પડેલ હતા. અને તેમની ઉપર પણ લોખંડ પાઈપ વડે હુમલો કરી દીધેલ હતો અને આ ચારેય શખસો જતાં જતાં ધમકી આપેલ હતી કે આજતો તું બચી ગયેલ છે પણ તને જાનથી મારી નાખવો છે.જે અંગેની ફરિયાદ ચારેય શખસો વિ‚ધ્ધ જાફરાબાદ મરીન પોલીસમાં નોંધાયેલ હતી જેમાં સામેવાળા ભાવેશભાઈની પત્નીનાં મોબાઈલ ફોનમાં આવેલ મેસેજ અંગે જીવલેણ હુમલાની ઘટના બનેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application