આમોદ્રાની જીવાદોરી સમાન ખોડિયાર તળાવ ઓવરફલો

  • September 28, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉના ગિરગઢડા પંથકમાં છેલ્લ ા બે દિવસથી વરસી રહેલ વરસાદનાં કારણે આમોદ્રા ઉના રોડ પર આવેલ આમોદ્રાનાં પ્રજાજનોની જીવાદોરી સમાન ખોડિયાર મંદિર સામે આવેલ તળાવ કમ કોઝવે ચાલુ સિઝનમાં પ્રથમવાર ઓવરલો થયેલ હોય આમોદ્રાવાસીઓએ હર્ષેાલ્લ ાસ સાથે માં ખોડિયાર અને વણ દેવનાં જયજયકાર સાથે નવાનીરનાં વધામણાં કરેલ.
અત્રે એ ઉલ્લ ેખનીય છે કે ચોમાસા દરમ્યાન આ તળાવ ઓવરફલો થવાથી એમાં થતાં પાણીનાં સંગ્રહનાં લીધે આમોદ્રા ગામ અને સીમતળમાં મહત્તમ પાણીનો વધારો થાય છે જેના લીધે પાણીનો પ્રશ્ર્ન ઉકેલાઈ જતો હોય છે પરંતુ દર વર્ષે ચોમાસામાં બે ત્રણ વાર ઓવરલો થતું આ તળાવ ચાલુ સાલે આમોદ્રા પંથકમાં ઓછા વરસાદના લીધે ભરાયેલ નહીં પણ સિઝનના અંતે છેલ્લ ા બે દીવસથી વરસી રહેલ સારા વરસાદનાં લીધે ઓવરલો થવાથી પ્રજાજનોમાં આનદં વ્યાપેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application