સુરેન્દ્રનગર જીલ્લા મા કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો સર્જ્યા છે ત્યારે સિરામિક નગર થાનગઢમાં રહેતા નિવૃત પીએસઆઇ પરિવાર સાથે બહાર ગામ ગયેલ અને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ત્રણ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી જતા તસ્કર ટોળકીનો ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢનાં ધોળેશ્ચર પ્લોટ ખાતે રહેતા નિવૃત વાયરલેસ પીએસઆઈ સમીરભાઇ દિવ્યકાંતભાઇ મુનશી તેમની પત્ની અલ્કાબેન સાથે શિવરાત્રી નિમિત્તે ઘરને તાળુ મારી પાટણ ખાતે મહોત્સવમાં ગયેલા અને ત્યાંથી પરત અમદાવાદ ખાતે સંબંધી પરિવારમાં જન્મ દિવસ ઉજવીને પરત થાનગઢ આવતા મકાન ખોલતા ઓસરીના રૂમના દરવાજાનું તાળું જોવા નહીં મળતા અજુગતું જણાતા ખોલી ને જોતા કબાટ સરસામાન વેર વિખેર પડેલ હતો અને કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેમના બંધ મકાનને ટાર્ગેટ બનાવી બંન્ને રૂમમાં રહેલા કબાટ રફેદફે કરી ત્રણ દિવસ દરમિયાન કોઇ પણ સમયે મકાનમાં પ્રવેશી ચોરી કરેલ હોવાની પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ દોડી આવેલ હતી.
અજાણ્યાં તસ્કરોએ આ બંધ મકાનમાંથી સોનાના પેંડલ, બુટ્ટી સેટ, વીટી, બ્રેસલેટ, ચુડી, ચાંદિનો પ્યાલો, બંગડીઓ, લગડી, મૂર્તિ સહિતનાં દાગીનાં તેમજ પર્સ અને પૂજા રૂમમાં રહેલ રોકડ રોકડા રૂ. ૪૫.૦૦૦ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૩.૮૭.૭૦૦ ની ચોરી કરી ગયાની ફરિયાદ આપેલ છે.
થાનગઢમાં નિવૃત પીએસઆઈ ના મકાનમાં પોણા ચાર લાખ થી વધુની ચોરીનો બનાવ બનતા લોકોમાં તસ્કરોનો ફફડાટ ફેલાયો છે તેમજ છાસવારે બનતી આવી ઘટનાઓ પાછળ નાઇટ ડયુટી ખાલી કાગળ ઉપર રહેતી હોવાની ચર્ચા સાથે લોકો કડક પેટ્રોલીંગ ઇચ્છી રહ્યા છે.
હાલ થાનગઢ પોલીસ માટે નિવૃત પોલીસ પરિવારનાં ઘરે તસ્કરોનાં પરોણા નો બનાવ પડકારજનક બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech