ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં એક જ પરિવારના 4 લોકોની ઘાતકી હત્યા કરનારો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો છે. પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કરનારા ચંદન વર્માના પગમાં ગોળી વાગતા તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ચંદન વમર્એિશિક્ષક, તેની પત્ની અને 2 સગીર બાળકોની નિર્દયતાથી ગોળી મારીને હત્યા કરી હતી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પોલીસ ટીમે મુખ્ય આરોપી ચંદન વર્માના નોઈડામાં એક ટોલ પ્લાઝા નજીકથી ધરપકડ કરી હતી. તે દિલ્હી જઈ રહ્યો હતો. ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન રિકવરી માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ચંદન વમર્એિ પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે છોડેલી ગોળી આરોપીના પગમાં વાગી હતી. આ ઘટના મોહનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
નોંધનીય છે કે શિક્ષક સુનીલ કુમાર (35), તેની પત્ની પૂનમ (32), પુત્રી દ્રષ્ટિ (6) અને એક વર્ષની પુત્રી સુની અમેઠીના શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અહોરવા ભવાની ચોક પર ભાડાના મકાનમાં રહે છે. ગુરુવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એસપીએ જણાવ્યું કે આરોપી વમર્િ રાયબરેલી જિલ્લાનો રહેવાસી છે. એવું લાગે છે કે તે પીડિતાના ઘરે પહોંચ્યો અને કોઈ કારણસર ગુસ્સે થઈ ગયો, જેના પછી તેણે પરિવારના તમામ સભ્યો પર ગોળીબાર શરૂ કર્યો અને તે બધાના મોત થઈ ગયા.
આરોપીનું પૂનમ સાથે છેલ્લા 18 મહિનાથી અફેર હતું
અધિકારીએ કહ્યું કે વર્માએ પરિવારના સભ્યોની હત્યા કર્યા અમારી પાસે કબૂલાત કરી છે. વર્માએ જણાવ્યું કે પૂનમ સાથે છેલ્લા 18 મહિનાથી પ્રેમ સંબંધ હતો. જોકે, સંબંધોમાં થોડી ખટાશ આવી હતી જેના કારણે તે તણાવમાં રહેતો હતો અને તેથી આ ઘટના બની હતી. અધિકારીએ જણાવ્યું કે વર્માઅ૩ ઘટનાસ્થળે પિસ્તોલમાંથી કુલ 10 ગોળીઓ ચલાવી. જ્યારે વર્માના પાંચ લોકોના મોત અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસપીએ કહ્યું કે પરિવારના ચાર સભ્યોની હત્યા કર્યા પછી તેણે પોતાને પણ ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો. 12 સપ્ટેમ્બરના રોજ ચંદને પોતાના મોબાઈલના વોટ્સએપ સ્ટેટસ પર લખ્યું હતું કે, પાંચ લોકો જલ્દી મરી જવાના છે, હું તમને જલ્દી મળીશ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech