ભારતના સૌથી મોટા ઉધોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોંઘી અને વૈભવી રહેણાંક ઇમારતોમાં થાય છે. અંબાણીનું ઘર એન્ટિલિયા અનેક પ્રકારની સુવિધાઓથી સ છે. આ ૨૭ માળની ઇમારતમાં થિયેટર, સ્પા, હેલ્થકેર સેન્ટર, મંદિર, સ્વિમિંગ પૂલ, ૯ મોટી લિટસ, હેલિપેડ અને ૧૬૦થી વધુ વાહનો પાર્ક કરી શકાય એટલું મોટું પાકિગ આવેલું છે.
આટલી વિશાળ ઇમારતમાં વીજળીનો ઉપયોગ માત્ર લાઇટિંગ માટે કરવામાં આવે તો પણ તે લાખોમાં હશે. એન્ટિલિયાનું કદ એટલું મોટું છે કે તેને હાઇટેન્શન ઇલેકિટ્રકલ કનેકશનની જર પડે છે. વિવિધ પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, મુકેશ અંબાણીના ઘરમાં દર મહિને લગભગ ૬,૩૭,૨૪૦ યુનિટ વીજળીનો વપરાશ થાય છે. તેથી તેનું સરેરાશ વીજળીનું બિલ લગભગ . ૭૦ લાખ અને કયારેક તેનાથી પણ વધુ આવે છે.
આર્કિટેકચરે ૧.૧૨૦ એકર વિસ્તારમાં ૫૬૮ ફટ ઉંચી ઈમારતને એવી અત્પત રીતે ડિઝાઇન કરી છે કે તે મુલાકાતીઓને ખૂબ જ પસદં આવી રહી છે. બિલ્ડિંગનું બાંધકામ ૨૦૦૬ માં શ થયું હતું અને લગભગ ૧ બિલિયન ડોલરના ખર્ચે ૨૦૧૦માં પૂર્ણ થયું હતું. બિલ્ડિંગના દરેક લોરને અલગ–અલગ મોંઘી વસ્તુઓ સાથે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. એન્ટિલિયાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે ૮ તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. એન્ટિલિયા એ અલ્ટામાઉન્ટ રોડ, કુમ્બલા હિલ, મુંબઈ ખાતે આવેલું છે. આટલી મોટી ઇમારતને સરળતાથી ચલાવવા માટે અંબાણીએ ૬૦૦ લોકોનો સ્ટાફ રાખ્યો છે. વિવિધ પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર, મુકેશ અંબાણીના એન્ટિલિયામાં કામ કરતા કર્મચારીઓનો પગાર મહિને ૧.૫ લાખથી ૨ લાખ પિયા છે. પગારની સાથે સાથે બાળકો માટે મેડિકલ ભથ્થુ અને શિક્ષણ ભથ્થુ પણ આપવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech